Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૫ આજી જી.આઈ.ડી.સી.ઝંખે છે કોર્પોરેશનનો સાથ

જીઆઈડીસી માં છેલ્લા ૧૦ વારસો માં મોટા ભાગ ના પ્રશ્નો નુ નિરાકરણ થયું છે પરંતુ રોડ રસ્તા ને લઈને અમુક પ્રશ્નો છે . મોટા ભાગના કામો જીઆઈડીસી દ્વારા જ કરવામાં આવે છે. અજી જીઆઈડીસી એક પ્રાઇવેટ બોડી છે અને અત્યારે અમારી એક  માંગ છે કે આજી જીઆઈડીસી  કોર્પોરેશનમાં આવે છે. ત્યારે જીઆઈડીસી ના તમામ નિર્ણયો વિકાસ કાર્યો મહાનગર પાલિકા જ કરે જેથી બમણો  ટેક્સ ભરવો ન પડે. એક તો જીઆઈડીસી નો અને બીજો મુનીસિપલ કોર્પોરેશન નો ટેકસ ભરિયે છીએ અને હાલ અહીયા તમામ હેન્ડલિંગ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે અને અમારી એક જ માંગ છે કે મુનીસિપલ કોર્પોરેશન દ્વારા જીઆઈડીસી સોંપવામાં આવે જેથી  ઔદ્યોગિક વિસ્તાર  માં તમામ સુવિધાઓ મળી રહે . એક સારો નગરસેવક એજ હોય જે લોકો ની વચ્ચે રહીને લોકો ની માંગ પૂરી કરે . આવનારા ૫ વરસ માં ના તમામ પ્રશ્નો હલ કરી સકે એવો નગર સેવક ઇચ્છીએ છીએ.૧૦ વર્ષોમાં આજી જીઆઈડીસી વિસ્તારમાં રોડ રસ્તા ને પીવાના પાણીની ની સમસ્યા નો હલ થયો છે. પણ નગરસેવકો નું સંકલન નથી અને પ્રજા ના પૈસા નો બગાડ થાય છે. રસ્તાના કામ માં વપરાતા બ્લોક પણ ચોરી થયા છે. કામો તો જરૂર થી સારા થઈ રહ્યા છે પરંતુ સંકલનનો અભાવ છે. ઇન્ડસ્ટ્રી લેવલ એ નગરસેવકો નો જનસંપર્ક ઓછો છે.

રાજકોટ માં તમામ ૧૮ વોર્ડમાંથી વોર્ડ નં ૧૫ સૌથી પછાત છે: સામાજિક અગ્રણીઓ, વોર્ડ નં ૧૫

Vlcsnap 2021 01 27 09H15M13S725

વોર્ડ નં ૧૫ ના સામાજિક સંસ્થા ઓ સાથે જોડાયેલ વ્યક્તિ ઓ એ જણાવ્યું કે હાલમાં અમારા વોર્ડ માંકુબલીયાપરા, ગંજીવાડા, ચુનારાવાડ જેવા વિસ્તારો આવેલા છે. અહીં પ્રજા ને તેના નગરસેવકો ચૂંટણી સમયે જ દેખાય છે. તેવોનો નિરક્ષર હોવાનો ફાયદો પણ ઘણી વખત લેવામાં આવે છે.પરંતુ ખરા અર્થ માં પ્રજા ના મત જોઈએ છે તો તેમના હિટ માટેના કામો થવા જોઈએ.અત્યાર સુધી અહીં બાળકો માટે બેગ બગીચા પણ નહોતા હવે તે થવાના છે.નગરસેવક ની ભૂમિકા પક્ષ ને બદલે લોકો ને ધ્યાન માં લઇ કાર્ય કરવાની છે. આ વોર્ડ માં અડધા લોકો ને એ પણ ખબર નહી હોય કે અહીંયા ના નગરસેવકો કોણ છે.વિકાસની હરોળમાં રાજકોટ ના તમામ ૧૮ વોર્ડ માથી વોર્ડ નં ૧૫ સૌથી પછાત છે. કોર્પોરેટર એ જ બીડું ઝડપી વિકાસના કાર્યો કરાવવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.