Abtak Media Google News

દારૂના નશાના કારણે દંપતી વચ્ચે થતા ઝઘડાનો કરૂણ અંજામ

રાજકોટમાં બ્રાહ્મણીયા પરામાં ગોવિંદબાગ પાસે આવેલ શાક માર્કેટ નજીક રહેતા પતિએ પત્નિ સાથે થયેલ ઝઘડામાં પત્નિને દશતા વડે મારમાર્યો હતો. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી બાદ તે જ રાત્રે પતિએ પોતાના ઘરે આવી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.બ્રાહ્મણીયા પરામાં ગોવિંદબાગ પાસે ઓલ શાકમાર્કેટ નજીક રહેતા હરીભાઈ ચનાભાઈ સિતાપરા ઉ.45 એ જે ઘરમાં નશો કરી પત્ની સરોજબેન સિતાપરા સાથે અવાર નવાર ઝઘડો થતા હતા જેથી ગત રાત્રે તેને સરોજબેનને દસતા વડે મારમાર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદ તેને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હીરાભાઈ દારૂ પી ઘરે આવી પત્ની સરોજબેન સાથે ઝઘડો કરતા હતા અને ઘણીવાર ઝઘડામાં બંને વચ્ચે મારામારી થતી હતી. રાત્રે કોઈ વાતમાં ઝઘડો થતા હીરાભાઈએ તેનીપત્નીને દસતો મારી લીધો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને સરોજબેનના માતા-પિતા બધા હોસ્પિટલે દોડી ગયા હતા. બાદ હીરાભાઈ તેની ખબર કાઢવા માટે ગયા હતા અને ત્યાંથી ઘરે આવ્યા હતા તેને ડર હતો કે હવે સરોજબેન અને તેના માતા પિતા તેના પર પોલીસમાં ફરિયાદ કરી દેશે તે વાતથી ડરી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.હીરાભાઈ કામકાજમાં છકડો ચલાવતા હતા અને તેઓને સંતાનમાં બે પુત્રો છે. દારૂ પી પત્ની સાથે થતા ઝઘડાનો અંત કરૂણ અંજામ આવ્યો છે. બનાવની જાણ બી.ડીવીઝન પોલીસમાં થતા સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.