Abtak Media Google News

શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના પ્રેમી સાથે ફરતી હોવાની પતિને જાણ થતાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પ્રેમી સાથે ફરતા હોવાની જાણ થતાં કર્યો આપઘાતનો પ્રયાસ: હાલત ગંભીર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વરમાં આવેલા રાધાકૃષ્ણનગરમાં રહેતી ગીતાબેન મનસુખભાઇ જાદવ નામની 31 વર્ષની પરિણીતા પાંચ દિવસ પૂર્વે પોતાના ઘરે હતી. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર ગીતાબેન મૂળ રાજકોટના વડાળી ગામની વતની છે અને તેણીને તેના ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. જેની પતિને જાણ થતાં તેણી રીસામણે ચાલી ગઈ હતી. સાત માસ રીસામણે બેઠા બાદ પતિ-પત્ની રાજકોટ રહેવા આવી ગયા હતા. બાદમાં બહેન સાથે બજારમાં જવાનું બહાનું બતાવી પ્રેમીને મળવા માટે પહોંચી હતી. જેથી પતિને શંકા જતા તે પાછળ ગયો હતો. પતિ પાછળ જતા પત્નીને પ્રેમી સાથે જોઈ ગયો હતો. પતિ પ્રેમી સાથે જોઈ જતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.