Abtak Media Google News

કોરોના ઓમિક્રોનના કેસો વધતા પોલીસ હરકતમાં: 8 વેપારી સામે ગુના નોંધાયો

શહેરમાં કોરોનાએ ફરી એકવાર એકાએક કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાત્રિ કરફ્યુ લાગૂ કરવામાં આવ્યું છે. તે દરમિયાન જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભક્તિનગર પોલીસે રાત્રિનો ધંધાર્થી દુકાનો ખૂલી રાખનાર સામે 8 લોકો સામે કાર્યવાહી કરી છે.

જાહેરનામાં ભંગ કરનાર દુકાનધારકો યશ ઘનશ્યામ અજુડીયા, રણુજા મંદરી કોઠારીયા, કૃણાલ અશોક નથવાણી, ભક્તિનગર, ભરત લાખા બાખલડીયા કેવડાવાડી, નયન મનસુખ ટીલાવત કોઠારીયા, વિજય સેજા કરમટા ખોડિયારનગર શ્યામ લખમણ સોરીયા હલેન્ડા ગામ પુંજા સમંચા બાબરીયા ત્રણ ક્વાર્ટરની સામે ઝુંપડપટ્ટી, પારસ પુંજાભાઇ સમેચા બાબરીયા સામે ભક્તિનગર પોલીસનાં પો.સબ ઇન્સ્પેક્ટર એમ.જે.હુણ, એ.એસ.આઇ. ફીરોજભા શેખ, પો.હેડ.કોન્સ.રણજીતસિંહ પઢારિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.