Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૮

સરકારી સવલતોની યોગ્ય દેખરેખ નથી થતી: રામજીભાઇ વેકરીયા (પાટીદાર સમાજ અગ્રણી)

Ramjibhai

વોર્ડ નંબર ૧૮ના રહેવાસી રામજીભાઈ વેકરીયા વાતચીતમાં જણાવ્યું હતું કે કોર્પોરેટર જાગરૂક હોવો જોઈએ અને હરહંમેશ લોકો વચ્ચે રહે તેવો હોવો જોઈએ જનતાના પ્રશ્નો અને તકલીફો દૂર કરે તેવો કોર્પોરેટર હોવો જોઈએ. છેલ્લા દાયકામાં જોઈ એટલા કામો નથી થયા અને હજી ઘણા કામો બાકી છે. આગામી સમયમાં કોઈ સારા કોર્પોરેટર આવે અને આ વિસ્તારનો વિકાસ કરે તેવી અપેક્ષા છે. આ વિસ્તારમાં રોડ રસ્તા, ગેસના કામ અને સોસાયટીના પ્રશ્નો હલ થવા જોઈએ. આ વિસ્તારમાં કોર્પોરેટર હોય કે ધારાસભ્ય પાંચ વર્ષે આવે છે ત્યાં સુધી વિસ્તારમાં કોઈ આવતું જ નથી. હવે ફોર્મ ભરણા છે એટલે મત માંગવા આવશે. બાકી સમયમાં કોઈ દેખાતું નથી. સરકારી સવલતો જે છે તેનો લાભ મળે છે પણ યોગ્ય દેખરેખ નથી થતી. આવી જગ્યાઓએ આવારા તત્વો તોડફોડ કરી નાખે છે તેના માટે સિક્યુરિટી ની જરૂર છે. ત્યારબાદ પાણી એકાત્રા આવે છે . આ વિસ્તાર પાંચ વર્ષ થયા સિટીમાં ભળી ગયો છે છતાં પાણીની સમસ્યા એમનેમ છે. પાણીનો પ્રશ્ન દૂર થાય તેવી અમારી આશા છે. વોર્ડ નંબર ૧૮ ના રહેવાસી રામાવત જ્યોતિ બેન એ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સારા કોર્પોરેટર ઈચ્છી છીએ જે અમારા વિસ્તારના કામો વ્યવસ્થિત રીતે કરે અને કામ પડે ત્યારે હાજર રહે. છેલ્લા દાયકામાં કોઈ વિકાસ જ નથી થયો . રોડ માટે રસ્તા ઘણા સમય થયા ખોદીને રાખી દીધા છે પણ હજુ કોઈ કામ આગળ વધ્યું નથી. આ વિસ્તારમાં હાલત ગટરની સમસ્યા લોકોને પજવે છે. હાલતાં કુંડિયું ભરાય જાય છે. જ્યારે આ સમસ્યાઓ કહેવા જાય છીએ ત્યારે જવાબ મળતો નથી. આગામી સમયમાં અમને પૂરતું પાણી મળે અને બધી વ્યવસ્થા જાળવી રાખે તેવી અપેક્ષા છે. અડધી કલાક પાણી આપવાનું કહે છે પણ પૂરતું પંદર મિનિટ પણ મળતું નથી તે પ્રશ્ન જલ્દી હલ થાય તેવી અમારી અપેક્ષા છે. પાણી ચડતું નથી જેના કારણે લોકોને મોટર મૂકવી પડે છે. અમે બધા લોકો કોર્પોરેટર ની ઓફિસે બે વાર બોલાવવા જાય ત્યારે માંડ એકવાર આવે છે. અમે ચુંટણીમાં મત આપીએ છીએ તો અમારું કામ તો થવું જોઈએ. અમને સરકારી સવલતોનો કાઈ લાભ નથી મળ્યો. રોડ રસ્તાનું કામ ઘણા સમય થયા બાકી છે જ્યારે ચોમાસુ આવે ત્યારે શેરીમાં પાણી ભરાય છે . રાત્રે ચોમાસામાં ઘરમાં પાણી ભરાય જાય છે જે લોકોને ખૂબ હેરાન કરે છે.

પ્રજાની વચ્ચે રહે તેવા નગરસેવકની જરૂર : સુનીલભાઇ ચોટલીયા (સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ)

Asunil

વોર્ડ નંબર ૧૮માં સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ ના કાર્યકર્તા સુનીલભાઈ ચોટલિયાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નગરસેવકો શિક્ષિત હોવા જોઈએ તેમજ પ્રજાની વચ્ચે રહી પ્રજાના નાના માં નાના કામ પણ જલ્દીથી કરી શકે તેવા હોવા જોઈએ. છેલ્લા દાયકાની જો વાત કરવામાં આવે તો ડી આઈ

પાઇપલાઇન ની કામગીરી થઈ છે. રાજકોટમાં ભળ્યા પછી કોઠારીયા વિસ્તારમાં આ કામો થયા છે. કોઠારીયા વાવડીના સંપનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ સમયે વોર્ડમાં મેટલિંગ ના કામો પણ પૂરજોશ માં ચાલુ છે. અને બીજા પણ નાના મોટા અનેક કામો વોર્ડમાં થયા છે. આવતા દિવસોમાં એજ અપેક્ષા છે કે આ ટર્મ માં જે કામો અધૂરા રહી ગયા છે તે જલ્દી પૂરા થાય. જે નવા કોર્પોરેટર ચૂંટાઈને આવે તેને વિનંતી કે વહેલી તકે આ કામો પૂરા થાય. અત્યારે વોર્ડમાં રસ્તાની સમસ્યા છે જે કામો અત્યારે ચાલુ છે. છેલ્લાં દાયકામાં જે કામો કરવામાં આવ્યા છે તેનાથી સંતોષ છે. તંત્રનો જનતા સાથેનો સંપર્ક સારો છે. કોઈ સમસ્યા હોય તો હાજર થઈ જતાં હોય છે. અમારી અપેક્ષા છે કે સરકારી સવલતો નો લાભ આ વિસ્તારમાં લોકોને મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.