Abtak Media Google News

મોરબી જિલ્લાના માળીયામીંયાળા તાલુકાના વર્ષામેડી ગામે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી યુવકે પિતરાઇ બહેનની હાજરીમાં પ્રૌઢની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા મીયાણાના બગસરા ગામના વતની અને હાલ મોટા દહીંસરા ગામે રહેતા ભરતભાઇ ગંગારામભાઇ વાઘેલા નામના પ્રૌઢની વર્ષામેડી ગામે દિનેશ ઉર્ફે નીનો પ્રભુ મહાલીયા નામના શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની મૃતકના પત્ની ભાનુબેન વાઘેલાએ પિતરાઇભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઇના પુત્ર હરેશભાઇએ દોઢ માસ પૂર્વે ફરિયાદી ભાનુબેનના કાકા પ્રભુભાઇ મહાલીયાની પુત્રી જીજ્ઞાસા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ બંને પરિવાર વચ્ચે મન:દુખ ચાલતુ હોય ત્યારે પોતાના પતિ ભરતભાઇ સહિત બંને વર્ષામેડી ખાતે પિયર ભાઇને ત્યાંથી પરત ફરતા ત્યારે ભરતભાઇના બાઇક આડે દિનેશ ઉર્ફે નીનો મહાલીયાએ આંતરી ભરતભાાઇ ઉપર છરી વડે તૂટી પડ્યો હતો.

ભરતભાઇને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા જ્યાં ફરજપરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી દિનેશ ઉર્ફે નીનો મહાલીયા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા પી.એસ.આઇ. એન.એચ. ચુડાસમાએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.