Abtak Media Google News
  • ભકિતમય વાતાવરણમાં વાજતે-ગાજતે નિકળેલી શોભાયાત્રામાં સિનિયર જૂનિયર વકીલો જોડાયા
  • સિનિયર વકીલોના આર.બી.એ.પેનલને તરફનો ઝુકાવથી એક તરફ ચૂંટણક્ષ માહોલ

વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતા બાર એસાસેીએશનની ચૂંટણીનો  પ્રચાર પ્રસાર  ઠંડીના માહોલમાં ગરમીનો માહોલ દેખાય રહ્યો છે.બારની ચૂંટણીમાં વરિષ્ઠ એડવોકેટો અને જૂનિયર વકીલો  વચ્ચે જંગ છે. બારની ચૂંટણી મુળ કારણ સાથે લડાઈ રહી છે.જેમાં વર્ષ 2023માં નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગ ખાતે સ્થળાંતર થઈ રહી છે. અને  સૌરાષ્ટ્ર ઝોનને  હાઈકોર્ટની બેંચ સહિતના મુદે ચૂંટણી લડાઈ રહી છે.  તેમજ બાર એસોસીએશનની  શાખને ડાઘ લાગે નહી તેવી વકીલોમાં માગં ઉઠવા પામી છે.

Img 20221210 Wa0021

વરિષ્ઠ એડવોકેટની આર.બી.એ. પેનલના પ્રમુખ સહિતના ઉમેદવારો દ્વારા ઓફીસ-ઓફીસ પ્રચાર કરી રહ્યા છે. તેમજ વિવિધ  બારનો ટેકો સાંપડી રહ્યો છે. આજરોજ સૌરાષ્ટ્ર સુપ્રસિધ્ધ રાજકોટની મધ્ય  આવેલા ‘માઈ’ મંદિર ખાતે દ્વારકાધીશના શર્ણગાર કરવામા આવ્યા હોવાથી આર.બી.એ.પેનલ દ્વારા આજે અબીલ ગલાલ અને ગુલાબની વર્ષા સાથે ધ્વજારોહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનિયર જૂનિયર  એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.

  • આર.બી.એ.ની.પેનલને અનુસુચિત જાતીના વકીલોનો ટેકો

બાર એસોશીએશનની   અત્યંત રસપદ ચુંટણીમા આર . બી . પેનલ ધ્વારા પ્રચારના ધમધમાટ ચાલુ કરવામા આવ્યો છે , તેમજ મધ્યસ્થ કાર્યાલય ખાતે   સ્વયંભુ બહોળી સંખ્યામા વકીલો ઉમટી પડે છે . જેમા રોજ અલગ અલગ બાર એસોશીએશન ધ્વારા તથા અલગ અલગ જ્ઞાતિના સંગઠનો ધ્વારા સ્વયંભુ આર . બી . એ . પેનલને ટેકો જાહેર કરવામાં આવી રહેલ છે . જે અતંર્ગત તા .8 12   ના રોજ સાંજે અનુસુચીત જાતીના વકીલઓના સંગઠન ધ્વા2ા આર . બી . એ . પેનલ ના મધ્યસ્થ કાર્યાલયે બહોળી સંખ્યામા ઉપસ્થીત રહી આર.બી.એ. પૈનલ ના તમામ ઉમેદવારોને સમર્થન આપી જંગી બહુમતીથી ચુંટી કાઢવા હાલ  કરેલી છે .

આ મીટીંગમા અનુસુચીત જાતીના અગ્રણી ધારાશાસ્ત્રી  અશ્વીનભાઈ મહાલીયા , ડી . બી . બગડા , અશોકભાઈ ડાંગર , પી . વી . સોલંકી , નાનજીભાઈ ખીમસુરીયા , પી . ડી . સોલંકી , જયેશભાઈ ખીમસુ 2ીયા , વિપુલભાઈ સૌંદ2વા મથુરભાઈ પરમાર , ભરતભાઈ વાળા , નરેશભાઈ બગડા , જયેશભાઈ ચૌહાણ , વર્ષાબેન મકવાણા , ગીતાબેન ચાવડા , હંસાબેન ચાવડા , શકુંતલાબેન પરમાર , સુરેશભાઈ ચાવડા , રાજેશભાઈ ચાવડા , રાજુભાઈ પટેલ , દિનેશભાઈ આજડા , પ્રવિકાભાઈ ચૌહાણ , કે . બી . સોલંકી , મોહનભાઈ ચાવડા , કીર્તીભાઈ મે2ીયા , હ2સુખભાઈ મકવાણા , અશોકભાઈ ચાંડપા , ગૌતમભાઈ પ2મા2 , ગોવિંદભાઈ ધાધલ , આર.કે. 52 માર , સમી2 ભાઈ સોલંકી , કિશનભાઈ સોલંકી , નવનીતભાઈ જીતીયા , જીજ્ઞેશભાઈ રાઠોડ , હસમુખભાઈ પરમાર , ભવાનભાઈ સોલંકી , પંકજભાઈ વિંજુડા , દિવ્યેશભાઈ રાઠોડ , માધવભાઈ પરમાર , હેમંતભાઇ પરમાર , મહેશભાઇ પુંધેરા , કમલેશભાઈ વોરા , સંદીપભાઈ 52મા2 , વિગેરે ધ્વારા આર . બી . એ . પેનલ ના મધ્યસ્થ કાર્યાલયમાં રૂબરૂ ઉપસ્થીત રહી આર . બી . એ . પેનલ ના વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓને સમર્થન જાહેર કરી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરેલી છે.

Img 20221210 Wa0022

  • ફેમીલી કોર્ટ બારનું સમર્થન

બાર એસોશીએશનની   ચુંટણીમા આર . બી . એ . પેનલ ધ્વારા પચારના ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે , તેમજ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ દરરોજ સ્વયંભુ બહોળી સંખ્યામાં વકીલો ઉમટી પડે છે . જેમાં દરરોજ અલગ અલગ બાર એસોશીએશન દ્વારા સ્વયંભુ આર . બી . પેનલને ટેકો જાહેર કરવામાં આવી રહેલ છે. એમ.એ.સી.પી. બાર ધ્વારા આર.બી.એ. પેનલને પોતાનુ સમર્થન જાહેર કર્યા બાદ રાજકોટ શહેરમા કાર્યરત ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓ ધ્વારા આર . બી એ . પેનલના  પ્રમુખપદના ઉમેદવા2ો    લલિતસિંહ શાહી , ઉપપ્રમુખપદે નલીનકુમાર જે . પટેલ ( એન જે પટેલ ) સેકેટરી તરીકે  દિલીપભાઈ જોષી , જોઈન્ટ સેક્રેટરી તરીકે  જે . એફ . રાણા , ટ્રેઝરર તરીકે કીશોરભાઈ સખીયા , લાઈબરી સેક્રેટરી તરીકે જ્યદેવભાઈ શુકલ (જયુભાઈ ) અને કારોબા 2ી સભ્ય તરીકે ગૌ 2ીશભાઈ ભટ્ટ ,  જયંતભાઈ ગાંગાણી ,  તુલસીદાસ ગોંડલીયા ,  જીજ્ઞેશભાઈ જોષી  બીપીનભાઈ કોટેચા , બીપીનભાઈ મહેતા ,  મહર્ષીભાઈ પંડયા ,  જી . એલ . રામાણી  જી . આર . ઠાકર , તેમજ  મહીલા અનામત કારોબારી રજનીબા રાણાને આગામી વર્ષ – 2023 ની ચુંટણીના પોતાનુ સમર્થન જાહેર કરી જંગી બહુમતીથી ચુંટી કાઢવા હાકલ કરેલ છે .

  • આર.બી.એ.ના સમર્થનમાં સેક્રેટરી પદ પરથી વ્યાસે ઉમેદવારી પરત ખેંચી

બાર એસોશીએશનના પૂર્વ કારોબારી સભ્ય તથા વર્ષ – 2023 ની ચુંટણીના સેક્રેટરી પદના ઉમેદવાર બહ સમાજના અગ્રણી કૌશીક સી . વ્યાસ ( કે . સી વ્યાસ ) આર . બી . એ પેનલના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યુ સૌરાષ્ટ્રમાં  પ્રતિષ્ઠા અને આગવી ઓળખ હોય તેવા વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ સાથે મળી   અને પક્ષા પક્ષી થી દુર રહી જાતી , જ્ઞાતિ કે રાજકારણથી દુર રહી  બારના હીત માટે અને બાર એસોશીએશનની પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત લેવલે પુન: સ્થાપીત થાય ત્યારે આર . બી . એ . પેનલના મુરબબીઓ સામે લડવાના બદલે તેઓને ટેકો આપવાથી સાચા અર્થમા વડીલ વંદનાનો અર્થ સરે તેવુ યર્થાથ લાગતા આ ચુંટણીમા પોતાની ઉમેદવારી પરત ખેંચી અને આર . બી . એ . પેનલના વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓના સમર્થનમા  સેક્રેટરી પદ પરથી કે.સી. વ્યાસે પોતાનુ ફોર્મ પરત ખેંચ્યું હતુ અને વધુમા તેઓએ એવુ પણ જણાવેલ હતુ કે ભુતકાળમાં ગુજરાત ભરમાં  બાર એશોસીએશનનુ નામ ખુબ જ માનભેર લેવાતુ હતુ અને ત્યારે  એન . એસ . ભટ્ટ  અને  દફતરી  જેવા વડીલો સમગ્ર ભારતભરમા  બાર એશોસીએશનનુ નામ રોશન કર્યું હતુ.  તે બાર એશોસીએશનની નામના અને પ્રતિષ્ઠા ફરીથી પુન: સ્થાપીત થાય તે સમગ્ર વકીલ જગત માટે ઈચ્છનીય છે . જેથી તેઓએ આર . બી . એ . પેનલના ઉમેદવારો  આગામી વર્ષ 2023ની ચૂંટણીમાં પોતાનું સમર્થન જાહેર કરી જંગી બહુમતીથી ચૂટી કાઢવા હાકલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.