Abtak Media Google News

તસ્કરોએ ધાર્મિક સ્થળોને પણ ન મૂક્યા : સોમનાથ સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.44 હજારની મતા ઉઠાવી ગયા

શહેરમાં તસ્કરો જાણે રાત્રિના સમયે બેફામ થયા હોય તેમ અનેક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હવે ચોરોએ ચોરી કરવામાં ધાર્મિક સ્થળોને પર છોડ્યા નથી.ત્યારે શહેરમાં રામનાથ પરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાંથી દસ કરો રૂપિયા 47,000 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

લુખ્ખા ચોરો મંદિરમાંથી ઘીની બરણી અને તેલના ડબ્બા પણ ઉઠાવી ગયા જ્યારે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી એકમાં આવેલા બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 44 હજારની માતા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં થતા સ્ટાફે ગુનો નોંધી તપાસ કરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ ગઈ તા.7 અને 8ની રાત દરમિયાન રામનાથ પરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં તસ્કર મંદિરનો દરવાજો ખોલી દાનપેટીમાંથી રૂા.35 હજાર રોકડા, મંદિરની મૂર્તિ આગળ રહેલા પિત્તળના ચાર દિવેલીયા, ચાર ચાંદીના છતર, ઘીથી ભરેલી સ્ટીલની બરણી અને પાંચ લીટર તેલના બે કેન, ચોરી કરી ગયા હતા. જે અંગે કરણભાઈ રતીભાઈ ગમારાએ ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જ્યારે બીજા બનાવમાં 150 ફુટ રિંગ રોડ પર સોમનાથ-1 શેરી નં.3માં રહેતા હિનાબેન પદ્મકુમાર રાજ્યગુરુ (ઉં.વ.54)ના મકાનમાંથી તસ્કરો રૂા.44 હજારની મતા ચોરી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં હિનાબેને જણાવ્યું છે કેતેના પતિ નિવૃત્ત જીવન વિતાવેછે. બગસરા રહેતા સાસુની તબીયત સારી ન હોવાથી પતિ છેલ્લા ત્રણેક માસથી બગસરા રહે છે.

જ્યારે તે ગત તા.24 ઓગસ્ટથી રંગપુર ખાતેના વિપશ્યના કેન્દ્ર ખાતે રહે છે.ગઈ તા.9ના રોજ ઘરે આવીને જોતા તાળુ ગાયબ હતું. મકાનના સેફ્ટી ડોર અને મેઈન ડોર ખુલ્લા હતા. પાડોશીઓને બોલાવી પુછતા કહ્યું કે ગઈ તા.8 સુધી મકાન બંધ હતું. અંદર તપાસ કરતા સામાન વેરવિખેર મળ્યો હતો. ઉપરના માળે આવેલા બેડરૂમમાં સ્થિત કબાટમાં જોતા રોકડા રૂા.40 હજાર ઉપરાંત રૂા.4 હજારની કિંમતની ચાંદીની ઝાંઝરી ગાયબ હતા. જેથી તેને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.