Abtak Media Google News

એક વર્ષમાં ત્રીજી વખત મંદિરને તસ્કરોએ નિશાન બનાવાયું:સીસીટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ

રાજકોટ-જામનગર હાઇવે ઉપર ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ કરડીયા રજપુત સમાજના સુરાપુરા અને મહાદેવ મિેંદરમાં એક વર્ષમાં ત્રીજી વખત તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાંથી પ કિલો ચાંદીની ચોરી કરી જતા આ મામલતે પડધરી પોલીસમાં સેવકે ફરીયાદ નોંધાવી છે.મળતી માહીતી મુજબ જામનગર હાઇવે ઉપર ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ કરડીયા રજપુત સમાજના મંદિરને ગત રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મંદિરમાં પ્રવેશ કરી તસ્કરો મહાદેવના મંદિરમાં લગાડેલું 10 કિલો ચાંદીનું થાળુ કાપી આશરે પ કિલો જેટલું ચાંદી ચોરી ગયા હતા. પડધર રહેતા મંદિરના સેવક દેવાભાઇ જીણાભાઇ ડોડીયાએ આ અંગે પડધરી પોલીસમાં જાણ કરતા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ચોરી થઇ તે બનાવ સ્થળે દોડી ગયો હતો સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં પણ ચોરી ગયા હતા.

અગાઉ પણ આ મંદિરમાં બે વખત ચોરીનો પ્રયાસથયો હતો મંદિર ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં હોવા છતાં તસ્કરો નિર્ભય પૂર્વક ચોરી કરી ગયા હતા. પડધરી પોલીસે મંદિરના તેમજ આસપાસ હોટલમાં લગાડેલા સીસી ટીવી  કેમેરાના આધારે પોલીસે તસ્કરોની તપાસ માટે વધુ તપાસ શરુ કરી ચોરીમાં કોઇ જાણભેદુ હોવાનું શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.