Abtak Media Google News

પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા પ્રૌઢે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ શહેરના પોષ વિસ્તાર એવા રવિ ટાવરમાં રહેતા અને મેટોડા ઇન્ડસ્ટ્રી એરિયામાં કારખાનું ધરાવતા પ્રૌઢે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આત્મીય કોલેજ સામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસે રવિ ટાવર બ્લોક 903 માં રહેતા રાકેશભાઈ રમણીકભાઇ ધિંગાણી નામના 50 વર્ષીય કારખાનેદારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

આ અંગે ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક રાકેશભાઈ ધિંગાણી મેટોડામાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા હતા. છેલ્લા ઘણા સમયથી કારખાનેદાર આર્થિકભીંસ અનુભવતા હોય જેના કારણે આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.