Abtak Media Google News
  • રખડું જીવન જીવતા નશાખોર પતિએ પૈસાના મામલે માથાકૂટ કરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંપતિ હર મહિને પૈસા લેવા આવતો અને પત્ની સાથે મારકૂટ કરી જતો રહેતો: હત્યારાની શોધખોળ

રંગીલુ રાજકોટ જાણે હવે રક્તરંજિત થતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગઇ કાલે થયેલી હત્યા અને આપઘાતની ઘટના બાદ આજરોજ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આજીવસાહત વિસ્તારમાં ખોડીયારપરામાં દંપતી વચ્ચે ચાલતા ગૃહકલેશમા પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે. રખડતું જીવન જીવતો નશાખોર પતિ હર મહિને પત્ની પાસે પૈસા લેવા આવતો હતો અને મારકૂટ કરી હતો રહેતો હતો. ત્યારે ગઇ કાલે રાત્રીના પૈસા બાબતે થયેલી માથાકૂટમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતાં હત્યારા પતિની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ખોડિયારપરા શેરી -૧૬માં સંઘાર હોટલ પાછળ રહેતા અંજલીબેન પુષ્પેન્દ્ર અહેરવાલ (ઉ.વ.૩૦) ને તેના પતિ પુષ્પેન્દ્રએ માથાના ભાગે છરીના કાચી કે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીઆઈ એલ.કે.જેઠવા, પીએસઆઈ એન.બી.ડાંગર અને પીએસઆઈ જી.એસ.ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અંજલીબેન મૂળ મધ્યપ્રદેશના ડામોર જિલ્લાના રહેવાસી હતા. છેલ્લા એક વર્ષથી તેણી તેના પુત્ર પ્રિયાંશુ સાથે રાજકોટ ખોડીયાર પરામાં રહેવા આવ્યા હતા અત્રે અંજલીબેન આજીવસાહતમાં કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે પતિ નશામાં ધૂત રહી રખડતું જીવન જીવતો હતો પતિ પુષ્પેન્દ્ર હર મહિને પત્ની અંજલીબેન નો પગાર આવતા પૈસા લેવા માટે ઘરે આવતો હતો અને પત્ની સાથે મારફૂટ કરી જતો રહેતો હતો.

જેમાં ગઈકાલે પતિ પુષ્પેન્દ્ર આવ્યા બાદ મોડી રાત્રીના પત્ની અંજલી સાથે પૈસા બાબતે માથાકૂટ થઈ હતી અને રાત્રિના દોઢ વાગ્યે દરમિયાન પતિ પુષ્પેન્દ્રએ પત્ની અંજલીબેનને મોઢાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. સવારે વૃતકની બહેન નીતાબેન અહેરવાલએ દરવાજો ખોલીને જોતા અંજલીબેન ઓઢેલી હાલતમાં પડ્યા હતા. જેથી તેના પરથી ચાદર હટાવતા બહેનને લોહિયાળ હાલતમાં પડેલી જોતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

પરિવારજનોએ તુરંત થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃતક અંજલીબેન ૬ બહેન અને એક ભાઈ હતા. રાજકોટ રહી પરિણીતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ નશાખોર પતિએ છરીના આડેધડ ઘા ઝીંકી પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાની નોંધ કરી હત્યારા પતિની શોધખોળ હાથધરી છે.

રાજકોટમાં હત્યાના બનાવોનો દોર વધ્યો

રંગીલુ રાજકોટ શહેર હવે જાણે રક્તરંજિત રહેતું હોય તેવું લાગી રહ્યું છે. પખવાડીયા પહેલા જ મોટા મૌવા પાસે દંપતી વચ્ચે ચાલતા ઝઘડાઓમાં પુત્રએ જ પોતાના પિતાનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે ગઇ કાલે જ આંબેડકરનગરમાં પતિના આડાસબંધથી ત્રસ્ત પત્નીએ પોતાના બે ફૂલ જેવા બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લીધો હતો. જ્યારે આજરોજ ફરી એકવાર રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.