Abtak Media Google News

ઓર્ગન ડોનેશન જનજાગૃતિ અર્થે સમાજ સેવામાં નવજીવન વ્યતીત કરવાનો હેતલનો સંકલ્પ

વિલપાવર અને કોન્ફિડન્સ થકી મૃત્યુને સતત હાથતાળી આપી જવલ્લેજ જોવા મળતા કેસમાં શરીરમાં અતિ ઉપયોગી એવા બે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી બાદ નવજીવન પ્રાપ્ત કરતી રાજકોટની હેતલ રાયચૂરાને કુદરતની સાથે મળ્યો માનવતાનો સાથ અને સંવેદનશીલ સરકારની સહાય.સામાન્ય પરિવારમાંથી આવતી 28 વર્ષીય હેતલ જણાવે છે કે, મારુ જીવન ખુબ સરસ રીતે વ્યતીત થતું હતું, પરંતુ વર્ષ 2014 થી મારુ સ્વાસ્થ્ય બગાડ્યું. બોલવા-ચાલવા સહીત મને થાક લાગતો. મને શ્વાસની તકલીફ થવા લાગી. અનેક ડોકટર્સનું ક્ધસલ્ટિંગ કરાયું. નિદાન ઉપચાર ચાલતા પણ સ્વાસ્થ્ય સારું નહોતું થયું. મને એક વર્ષ પહેલા હૃદય અને ફેફસાની તકલીફને કારણે ટ્રાન્સપ્લાન્ટ ફરજીયાત હોવાનું ડોક્ટર દ્વાર જણાવાયું. જેના માટે રૂ. 40 લાખ જેટલો ખર્ચ થશે તેમ હૈદરાબાદની ક્રિમ્સ હોસ્પિટલ દ્વાર જણાવાયું. આમ છતાં મેં કે મારા પરિવારે હિંમત ન હારી.

કુદરત હંમેશા ન્યાય કરતો હોઈ છે, મારા પરિવારની મદદે રાજકોટના એક કર્મનિષ્ઠ ડોકટરે મદદ કરવાનું બીડું જડ્પ્યું. સાથોસાથ મીડિયાએ મારી તકલીફને વાચા આપી.જેના પરિણામે મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી મને રૂ. 10 લાખ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થતા રૂ. 40 લાખનું ફંડ એકત્રિત થયાનું અને સર્જરીની જર્ની તેમજ ઓર્ગન ડોનેશનનું મહત્વ હાલ રાજકોટ પરત હેતલે સમજાવ્યું. હેતલ તેની જર્ની અને નવજીવન બાદના સપનાઓ વિષે વાત કરતા કહે છે કે, છેલ્લા 6 મહિનામાં માનવ અંગોનું મહત્વ સમજાયું છે. ઈશ્વરે આપેલી સૌથી મોટી કોઈ બક્ષિસ હોઈ તો તે સ્વાસ્થ્ય છે. માનવ અંગો મહામુલા છે. તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ. મને મળેલ હૃદય અને ફેફસા, કે  જે કોઈ વ્યક્તિએ ડોનેટ કર્યા હશે તેમના પરિવારજનોએ ખુબ જ હિંમતભર્યું પગલું લીધું હશે.

લોકો અંગદાન કરી અન્યને મદદરૂપ બને તે માટે જાગૃતિ અર્થે આવનારા સમયમાં કામ કરવાનો સંકલ્પ હેતલે કર્યો છે. માત્ર એટલું જ નહીં હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ દરમ્યાનના અનુભવો, કાળજી સહિતની જર્નીની એક બુક લખવાનો પણ હેતલે નીર્ધાર કર્યો છે. હેતલની ઓર્ગન ટ્રાન્સપલન્ટની જર્ની એક ચમત્કાર હોવાનું પરિવારજનો અને તેમની સાથે સંકળાયેલા ડોક્ટરનું કહેવું છે. હેતલના સદનસીબે તેમને સમય કરતા વહેલા ઓર્ગન બેન્કમાંથી હૃદય અને ફેફસા મેચ થયા. સફળ સર્જરી, પ્રિકોશનને કારણે માત્ર ત્રણ મહિનામાં જ તેમને રજા આપવામાં આવી. નેશનલ હેલ્થ વિભાગ પર રજુ થયેલા સર્વે મુજબ વર્ષે 5 લાખ જેટલા લોકોનું ઓર્ગનના અભાવે મૃત્યુ થાય છે. 2 લાખ જેટલા લોકોને લીવર, 50 હજાર જેટલા લોકોને હૃદય, 1.5 લાખ લોકોને કિડની ની જરૂરિયાત સામે માત્ર 5 હજાર લોકોને અંગ દાન થકી ટ્રાન્સપલન્ટ શક્ય બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.