પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે રાજકોટ શહેરનાં નાના મોટા શિવાલયોમાં ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શિવમંદીરોમાં શિવભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે વિશેષ ઉલ્લેખ કરીએ તો જામનગર રોડ ઉપર આવેલા ભોમેશ્ર્વર મહાદેવ મંદીરમાં આજે શ્રાવણ માસના દ્વીતીય સોમવારે રાજકોટ રાજવી પરિવારના જયદીપસિંહજી ઉર્ફે રામરાજા તથા શિવાત્મીકાબા ઉર્ફે ટીકારાણીએ મહાદેવજીનું અબીલ ગુલાલ દૂધ તલ ચંદન તેમજ બિલ્વપત્ર દ્વારા વિશેષ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભોમેશ્ર્વર મહાદેવ મંદીરની ઇ.સ. ૧૯૪૪ મા રણછોડદાસજી મહારાજનાં સાનિઘ્યમાં ઠાકોર સાહેબ પ્રદયુમનસિંહજી તથા અ.સૌ. રાણી સાહેબા નરેન્દ્રકુમારીબા તથા રાજવી પરીવાર દ્વારા પ્રતિષ્ઠાયન વિધિ કરવામાં આવી હતી. એ સમયથી જ દરવષરે વિશેષ શ્રાવણ મહિનામાં રાજવી પરીવારના સભ્યો દ્વારા અહીં ભોમેશ્ર્વર ભોળિયાનું પૂજન-અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો