રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન કરી મંગલકામનાઓ કરી હતી. ગુજરાત તા અન્ય રાજ્યોમાં પણ મોતિયાના ઓપરેશન માટે વ્યાપક કેમ્પ યોજી દર્દી નારાયણની સેવા કરનારા સદ્દગત સંત શ્રી રણછોડદાસજી મહારાજમાં વિશાળ ભાવિક સમુદાય આસ અને શ્રદ્ધા ધરાવે છે. એમણે શરૂ કરેલા કાર્યો પણ ધમધમી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને તેમના પત્ની શ્રીમતી અંજલીબેન ‚પાણી આશ્રમે પહોંચી સદ્દગુરુની પ્રતિમાના દર્શન કર્યા હતા અને પૂજન-અર્ચન કર્યા હતા. ગુજરાતની પ્રજાની સુખાકારી માટે મંગલકામનાઓ કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ આશ્રમના ટ્રસ્ટીઓ સો બેઠક કરી હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓ દ્વારા ભવિષ્યના આયોજન અને વિસ્તૃત વિગતોી મુખ્યમંત્રીએ અવગત કરાવ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મ્યુ. ફાયનાન્સબોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, કલેકટર ડો. વિક્રાંત પાંડે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, અગ્રણીઓ માન્ધાતાસિંહ જાડેજા, પ્રવીણભાઈ વસાણી, કાંતિભાઈ કતીરા, હરકિશોરભાઈ બરછા, મિત્તલ ખેતાણી ઉપસ્તિ રહ્યા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’