રંગોળી કલ્પના અને ગૃહસુશોભનની એક અનોખી કળા છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીઓ આલેખાતી રંગબેરંગી ભાત-ભાતની રંગોળીઓ આલેખાતી જોવા મળે છે. ત્યારે જી.કે. ધોળકિયા સ્કૂલ પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલાત્મક રંગોળીએ જેવી કે રાધા-કૃષ્ણ, મોર, રામ-સીતા, ગણેશજી તથા કુદરતી દ્રશ્ય વગેરે બનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સ્કૂલના આંગણાને સુશોભિત બનાવ્યું હતું. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વાલીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી
- ધો.1 માટેની પૂર્વ તૈયારી રૂપે મળતું આનંદમય શિક્ષણ એટલે ‘બાલવાટિકા’
- Dellનો AIની દુનિયામાં પલડો ભારી…
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ