Abtak Media Google News

રાષ્ટ્રીયકૃત તેમજ સ્મોલ ફાયનાન્સ બેંક સ્થાપવા આરબીઆઈએ જાહેર કરી માર્ગદર્શિકા 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે એક સતાવાર નિવેદન આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીયકૃત અને સ્મોલ ફાઇનાન્સ બેંક શરૂ કરવા માટે હાલ સુધીમાં કુલ 4 અરજીઓ મળી છે. આ અરજદારોમાં યુએઈ એક્સચેંજ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, રિટ્રેટિએટ્સ કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ બેન્ક લિમિટેડ(આરઇપીકો બેંક), ચૈતન્ય ઈન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ, અને પંકજ વૈશ  સહિતનો સમાવેશ થાય છે.

ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલે સપ્ટેમ્બર 2019માં ચૈતન્યમાં બહુમતી હિસ્સો 739 કરોડ રૂપિયાની રોકાણ પ્રતિબદ્ધતા સાથે મેળવ્યો હતો.  બંસલ ચૈતન્યના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે.

સ્મોલ ફાઇનાન્સ બેંકો(એસ.એફ.બી.) ના ’ઓન ટેપ’ લાઇસન્સ માટેની માર્ગદર્શિકા હેઠળ અરજદારો વી.સોફ્ટ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ, કાલિકટ સિટી સર્વિસ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, અખિલકુમાર ગુપ્તા અને દ્વારા ક્ષેત્રીય ગ્રામીણ નાણાકીય સેવાઓ પણ સામેલ  છે.

ખાનગી ક્ષેત્રમાં સાર્વત્રિક બેંકો અને એસએફબીના ’ઓન ટેપ’ લાઇસન્સ માટેની માર્ગદર્શિકા અનુક્રમે 1 ઓગસ્ટ, 2016 અને 5 ડિસેમ્બર, 2019 ના રોજ જારી કરવામાં આવી હતી. માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્રીયકૃત બેંક માટે પ્રારંભિક ન્યૂનતમ પેઇડ અપ વોટિંગ ઇક્વિટી મૂડી 500 કરોડની હોવી જોઈએ. ત્યારબાદ, બેંક પાસે દરેક સમયે ઓછામાં ઓછી 500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવી જોઈએ. સ્મોલ ફાઇનાન્સ બેંક માટે લઘુતમ પેઇડ અપ  મૂડી 200 કરોડ રૂપિયા હોવી જોઈએ.એસએફબીમાં સ્વૈચ્છિક રૂપાંતર કરવા ઇચ્છુક શહેરી સહકારી બેંકોના કિસ્સામાં નેટવર્થની પ્રારંભિક જરૂરિયાત 100 કરોડ રૂપિયા છે, જે પાંચ વર્ષમાં વધારીને 200 કરોડ રૂપિયા કરવાની રહેશે.ગયા મહિને આરબીઆઈએ રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાના નાણાંકીય બેંકો માટેની અરજીઓના મૂલ્યાંકન માટે આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર શ્યામલા ગોપીનાથની અધ્યક્ષતામાં સ્થાયી બાહ્ય સલાહકાર સમિતિની ઘોષણા કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.