Abtak Media Google News

રેલવે વિભાગે જાહેરાત કરી છે કે હવે 12 ઓગસ્ટ સુધી કોઇ પણ રેગ્યુલર ટ્રેન ચલાવવામા નહીં આવે. એટેલે કે 12 ઓગસ્ટ સુધી પેસેન્જર,એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય.

જે લોકોની ટિકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફન્ડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવશે.

આ ટ્રેનોમાં 1 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે જો કોઇએ ટિકિટ  બુકિંગ કરાવી હશે તો તેને કેન્સલ ગણવામા આવશે. રેલવેએ કહ્યું છે કે મુસાફરોને 100 ટકા રિફન્ડ આપવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.