- મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમની તૈયારીઓ માટે રિહર્સલ યોજાયું
- જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારીઓએ કાર્યક્રમની દરેક વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે સમન્વય સાધ્યો
- પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 20 એપ્રિલ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે, આજે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને અન્ય વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સ્થળે વ્યવસ્થિત રિહર્સલ યોજવામાં આવ્યું.
રિહર્સલ દરમિયાન મુખ્યમંત્રીના આગમન, સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ વ્યવસ્થા અને કાર્યક્રમના સમયપત્રકને લગતી તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારીઓએ કાર્યક્રમની દરેક વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે સમન્વય સાધ્યો. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ