Abtak Media Google News

હિન્દુ ધર્મમાં મંદિરને ખૂબ જ મોટો હિસ્સો માનવામાં આવે છે. દેશભરમાં આસ્થા પર વિશ્વાસ કરવા વાળા લોકોની કમી નથી. પોતાની શ્રદ્ધા અને આસ્થાને કારણે જ લોકો મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે જાય છે. ગરીબ હોય કે અમીર, બધા જ લોકો મંદિરમાં પોતાનું માથું નમાવીને ભગવાનને નમસ્કાર કરે છે. મોટાભાગના લોકો ભગવાનના દર્શન કરીને પોતાની ઈચ્છા માંગે છે. ઘણાં લોકો એવા હશે જે દરરોજ નિયમિત રૂપથી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે.

દેશમાં વર્ષોથી જ મંદિર જઈને ભગવાનનાં દર્શન કરવાની પરંપરા ચાલી આવી રહી છે, જે લોકો હજી સુધી નિભાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાં જવાથી તમને કયા કયા પ્રકારના લાભ થાય છે? મંદિર એક એવું સ્થાન છે, જ્યાં જઈને મનને શાંતિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને એક અદભૂત શક્તિનો અનુભવ થાય છે.મંદિર જવાના ધાર્મિક કારણોની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ બતાવવામાં આવેલ છે, જેને ખૂબ જ ઓછા લોકો જાણતા હશે.

મંદિર જવાના ધાર્મિક કારણોની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો

વ્યક્તિને હંમેશા ભગવાન પર વિશ્વાસ હોય છે જેના કારણે તે મંદિર જાય છે. જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે પોતાના બુટ-ચંપલ બહાર ઉતારી દેતા હોય છે અને ખુલ્લા પગે જ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. જ્યારે આપણે મંદિરમાં ખુલ્લા પગે ચાલીએ છીએ અને ભગવાન ની પરિક્રમા કરીએ છીએ તો તેનાથી આપણા પગમાં રહેલ પ્રેશર પોઈન્ટ પર દબાવ પડે છે, જેના કારણે હાઇ બ્લડપ્રેશર કંટ્રોલ થઈ જાય છે. મંદિરમાં ખુલ્લા પગે ચાલવાથી સકારાત્મક ઉર્જા પગનાં માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

જ્યારે આપણે મંદિર જઈએ છીએ તો મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને આપણું ધ્યાન એકાગ્ર કરીએ છીએ, તો તેનાથી આપણા મસ્તિષ્કમાં ખાસ ભાગ પર દબાવ પડવા લાગે છે જેના કારણે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે.મંદિરમાં જ્યારે ભક્ત દર્શન કરવા માટે જાય છે, તો ત્યાં રહેલ ઘંટડી વગાડે છે. જેનો અવાજ ભક્તોના કાનમાં ગુંજવા લાગે છે. પરંતુ ઘંટડીઓના આ અવાજથી આપણા શરીરના અમુક અંગો સક્રિય થવા લાગે છે, જેનાથી આપણી ઉર્જાનું સ્તર વધવા લાગે છે.

જ્યારે આપણે મંદિર જઈએ છીએ તો ભગવાનના દર્શન કર્યા બાદ માથા પર તિલક લગાવીએ છીએ. માથા પર તિલક લગાવતાં સમયે આપણા મગજનાં ખાસ હિસ્સા પર દબાવ પડે છે, જેનાથી આપણી એકાગ્રતા વધે છે.મંદિરની અંદર ભક્તો તાળી વગાડતા હોય છે. તાળી વગાડવાથી આપણા શરીરના વિભિન્ન હિસ્સા યોગ્ય પ્રકારથી કાર્ય કરે છે. તેનાથી આપણી અંદરની શક્તિ પણ મજબુત બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.