Abtak Media Google News

કાયમી વૈયાવચ્ચ યોજનામાં 5 લાખ ડાયમંડ દાતા શ્રેણી રૂ.2,51000 ગોલ્ડન દાતા શ્રેણી રૂ.1,11000 સિલ્વરદાતા શ્રેણી રૂ.51000 અનુમોદક દાતા શ્રેણી રૂ.25000 પ્રેરક દાતા શ્રેણીમાં લાભ લઈ શકાશ

જામનગર જિલ્લાના લાલપુરમાં 82 વર્ષ પૂર્વે તા.5/08/1940 ના  ખુશાલચંદ ભાઈની સ્મૃતિમાં તેમના માતુશ્રી દુધીબેન મોતીચંદની ભાવનાથી મીઠાલાલ દેવચંદ મહેતા તથા તેમના પુત્ર પોપટલાલ અને વીરચંદ તથા મૂલચંદ મીઠાલાલે પોતાને ખર્ચ ઉપાશ્રય બંધાવી સ્થાનકવાસી સંઘને અર્પણ કર્યા બાદ તા.24/12/1973 ના મીઠાલાલ દેવચંદ અને દુધીબેનની સ્મૃતિમાં ઉપરના હોલનું  વીરચંદ મીઠાલાલ અને નવલબેન તરફથી નિર્માણ કર્યા બાદ  વૃજલાલ હસમુખરાય , વિનોદરાય , સુરેન્દ્રભાઈ , મહેન્દ્રભાઈએ અર્પણ કરેલ.વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂ .ધીરગુરુદેવના અનુગ્રહથી સાતાકારી ઉપાશ્રય નવનિર્માણનું કાર્ય ટૂંક સમયમાં પ્રારંભ થશે. જેનો લાભ વીરચંદ મીઠાલાલ મહેતા પરિવારે લીધેલ છે.  કાયમી વૈયાવચ્ચ યોજનામાં રૂ.5 લાખ ડાયમંડ દાતા શ્રેણી , રૂ. 2,51,000 / – ગોલ્ડન દાતા શ્રેણી , રૂ. 1,11,000 / -સિલ્વર દાતા શ્રેણી , રૂ. 51,000 / – અનુમોદક દાતા શ્રેણી , રૂ. 25,000 / – પ્રેરક દાતા શ્રેણીમાં લાભ લઈ શકાશે . તેમ  રજનીભાઈ બાવીસી , કમલેશ મહેતા , સુરેશ મહેતાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.