Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ ના ૫૯ ફોજદારો બદલાયા: રાજકોટના સાતની બદલી અને આઠની નિમણુંક

લોકસભાની ચુંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે લાંબા સમયથી એક સ્થળે ફરજ બજાવતા પી.એસ.આઇ. ની બદલીનો રાજયનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છનાં ૪૯ સહીત ૧૫૮ ફોજદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજે મોડી સાંજે પી.એસ.આઇ. ની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરનાં ૭૮ મળી ૧૫૮ પીએસઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્ર કચ્છનાં ૪૯ ફોજદારોની બદલીના અને નિમણુંકના હુકમો કર્યા છે. જેમાં રાજકોટ શહેર ક્રાંઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં મહાદીવસિંહ, રાજદીપસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, વનરાજસિંહ, મનીષાબેન વિઠ્ઠલપરા અમદાવાદ ખાતે જયારે નિરાલીબેન શુકલાને મોરબી અને રાજકોટ ગ્રામ્યના અમીનાબેન ગોટીનેગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી. જેની સામે નવા આવેલા જીતેન્દ્રસિંહ ચંપાવત, રાઠોડ શંભુસિંહ, મનહરસિંહ, પ્રફુલકુમાર, નાયર સુનીલ, શૈલેષકુમાર પટેલ અને રાઠોડ રાજેશકુમારની નિમણુંક કરવામાં આવી છે. પૂર્વ પશ્ર્ચિમ કચ્છના ૧૧ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર સહીત ર૯ની બદલી કરવમાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.