- ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણ રાજધાની
- બેટ દ્વારકા નજીક દરીયામાં ગરકાવ પુરાતત્વ નગરીની અવશેષોના રહસ્ય થશે ઉજાગર
- ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પ્રાચીન દ્વારકાની દરીયામાં ગરકાવ સુર્વણ નગરીના રહશ્યો ઉજાગર કરવા વિધીવત સંશોધન કાર્ય શરુ થવા જઇ રહ્યું છે.
- દ્વારિકાની પ્રાચીન નગરીના પાણી તળે ના સંશોધનથી વિશ્ર્વકક્ષાનું પર્યટન સ્થળ તરીકે બેટ દ્વારકાનો વિકાસ થશે.
આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ ર્ક્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષ્ાિત કરવા મહત્ત્વના મીશનના ભાગરૂપે પુરાતત્ત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ ર્ક્યો છે.
પુરાતત્ત્વ ખાતાની નવીનીકૃત અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા એ.ડી.જી. પ્રોફેસર આલોક ત્રિપાઠીની આગેવાનીમાં પાંચ સદસ્યોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં કિનારાથી દૂર સમુદ્રની અંદર સંશોધન કાર્યને પુનર્જિવિત કરવામાં આવ્યું છે અને દ્વારકાના દિરયામાં ગ્રાઉન્ડ બ્રેકીંગ અન્ડરવોટર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે.નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બાર્બીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસકાર્યનો પ્રારંભ ર્ક્યો છે. અત્રે ઉલેખનીય છે કે પ્રથમ વખત એ.એસ.આઇ. દ્વારા નોંધપાત્ર મહિલા સદસ્યોને સમુદ્રની અંદરના તપાસ કાર્યમાં ભાગ લીધો છે.
અન્ડરવોટર વ્યુઇંગ ગેલેરી માટે ઉપયોગી થશે સર્વેક્ષ્ાણ
સરકારના ભવિષ્યના પ્રોજેકટમાં સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકાને નિહાળી શકાય તેવી અન્ડર વોટર વ્યુઇંગ ગેલેરીની ભેટ આપવાની જાહેરાત કરાયા બાદ હાલના આ સંશોધન કાર્યથી સરકારના આ મહાત્વાકાંક્ષ્ાી પ્રોજેકટના સર્વેક્ષ્ાણ બાદ અમલીકરણમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જાણકારોનું માનવું છે.
પ્રધાનમંત્રી મોદી પણ કરી ચૂક્યા છે વીઝીટ
અત્રે ઉલેખનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા વીઝીટ દરમ્યાન સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના સ્થળે સ્કૂબા ડાઇવીંગ કરી પહોંચ્યા બાદ પૌરાણિક દ્વારકાના તટની પૂજા તથા મોરપિંછ અર્પણ કરાયું હતું અને વિશ્ર્વને દ્વારકાના સાંસ્કૃતિક વારસો નજરે નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી.
પાંચ દાયકાથી ડૂબેલી દ્વારકાના અવશેષેનું સંશોધન વેગવાન
1980ના દાયકામાં તત્કાલીન પુરાતત્ત્વ વિભાગના વડા દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલી પૌરાણિક દ્વારકાની શોધખોળ માટે અભિયાન હાથ ધરેલ જેમાં તેમને મહત્ત્વપૂર્ણ અવશેષે પ્રાપ્ત થયેલ. ર001 બાદ આ વિભાગે ગુજરાતના દ્વારકા, લક્ષ્ાીપના પાંખ બંગારામ, તમિલનાડુના મહાબલીપુરમ, મણીપુરના લોકટક તળાવ અને મહારાષ્ટ્રના એલીફન્ટા ટાપુ પર સંશોધન કાર્ય કરી રહેલ હોવાનું મંત્રાલયે ઉમેર્યુ હતું. હાલના આ સાંસ્કૃતિક વારસાના સંરક્ષ્ાણ અને અભ્યાસ માટેના સંશોધન કાર્યમાં અન્ડરવોટર આર્કિયોલોજીકલ વિંગને ભારતીય નૌસેના તથા અન્ય સરકારી વિભાગોએ પણ સહયોગ ર્ક્યો છે. આ પહેલા પણ વર્ષ ર00પ થી ર007 સુધી દ્વારકાના દરીયા કિનારાના ભાગોમાં કરેલ ખોદકામમાં વિભાગને પૌરાણિક શિપો અને પત્થરો તથા લંગરો મળી આવેલ જે સંશોધનોને આધારે હાલના આ સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ છે.