Abtak Media Google News

કલેકટર, અધિક કલેકટર અને મહેસુલી કર્મચારી મંડળે ભાવભેર આપી વિદાય

કલેકટર કચેરીની જનરલ શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અશોકસિંહ જાડેજા વય નિવૃત થતા તેઓને જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા અને મહેસુલ કર્મચારી મંડળ દ્વારા ભાવભેર વિદાય આપવામાં આવી હતી. અશોકસિંહે વર્ષ ૧૯૮૬માં કલેકટર કચેરીમાં કારકુન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. અને વર્ષ ૨૦૧૭માં તેઓએ જનરલ શાખાની જવાબદારી મેળવી હતી. ત્રણ વર્ષમાં તેઓએ ૩ વખત રાષ્ટ્રપતિ, ૨ વખત પ્રધાનમંત્રી અને એક વખત નેપાળના રાષ્ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમની ફરજ સુપેરે સંભાળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.