Abtak Media Google News

લોકોની ગોપનીયતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી: જાણ બહાર અંગત વિગતો જાહેર કરી બંધારણીય અધિકારનો ઉલ્લંઘન કરી શકાય નહીં

કોઈ પણ વ્યક્તિની અંગત માહિતીઓ સુરક્ષાના નામે લીક થાય તે ક્યારેય ચલાવી ન લેવાય. દેશના સંવિધાનમાં જ રાઈટ ટુ પ્રાઇવસીના કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર અને સોશ્યલ મીડિયા જાયન્ટસ વચ્ચે યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે. નવા આઈ.ટી. એકટ અંગેની લડાઈનો અંત જ નથી આવી રહ્યો ત્યારે લોકોની ગોપનીયતા જળવાઈ રહે તે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત સરકાર અને ઘણી તકનીકી કંપનીઓ વચ્ચેની લડાઇ અસંખ્ય કાનૂની, રાજકીય અને તકનીકી મુદ્દાઓને આધીન છે કે, વિશ્વ કેવી રીતે નાગરિકોના ગોપનીયતાના અધિકારને જાળવે છે. સરકાર દ્વારા નિર્દેશિત અપમાનજનક સંદેશાઓના ઉદ્ભવકને શોધી કાઢવા માટે સોશિયલ મીડિયા વચેટિયાને અપાવતી માહિતી ટેકનોલોજી રૂલ્સ ૨૦૨૧ દ્વારા સૂચવવામાં આવેલી આવશ્યકતા, ફેસ-ઓફનો એક અસ્પષ્ટ મુદ્દો છે. જે આખા મેસેજિંગ પ્લેટફોર્મને હેકિંગ માટે નબળા બનાવે છે.  કેટલાક નિષ્ણાતો દાવો કરે છે કે, આ શક્ય છે.  વોટ્સએપ પહેલેથી જ કોઈ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે કે નહીં તેની ઓળખ કરી શકે છે, એવી દલીલ કરવામાં આવે છે કે તે પણ ટ્રેસ કરી શકે છે.

બંને દલીલો, એન્ડ-ટુ-એન્ડ-એન્ક્રિપ્શન પ્રદાન કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આઈઆઈટી મદ્રાસની કમિટીની દરખાસ્ત એ ધારણા પર આધારિત છે કે, ૧૯૭૪માં જાહેર કરાયેલી કીની મદદથી વોટ્સએપ એન્ક્રિપ્શન પ્રોટોકોલનો ઉપયોગ કરે છે જે આ સાચું નથી.  જ્યારે સિગ્નલ મેસેજિંગ એપ્લિકેશનના નિર્માતાઓ દ્વારા વોટ્સએપ એન્ક્રિપ્શન પ્રોટોકોલનો ઉપયોગ કરે છે,  જે પ્રારંભિકને ઉમેરવું તકનીકી રીતે અશક્ય છે.કારણ કે વોટ્સએપ એન્ક્રિપ્શન પણ સંદેશ દીઠ સતત ફરતી એન્ક્રિપ્શન કીઓનો ઉપયોગ કરે છે, જે ફક્ત સેન્ડર અને રીસીવર વચ્ચે રહે છે.  જો સંદેશની ઉત્પત્તિ શોધવા માટે આ યોજના બદલાઇ છે, તો તે ૨ અબજથી વધુ વપરાશકર્તાઓને અસરકર્તા સાબિત થશે.

એન્ક્રિપ્શનનું આર્કિટેક્ચરએ ઇનકારપાત્રતાને સુનિશ્ચિત કરવાનું છે.  તેથી, જો કાયદો કોઈને ટ્રેક કરવા અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રથમ ઉત્પત્તિકર્તા સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે, તો તે નિષ્ફળ જશે.

રાઈટ ટુ પ્રાઇવસી નીચે રદ્દ થયેલ ૬૬-એ હેઠળ હજુ પણ ગુન્હા નોંધાય છે!!!

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચોંકાવનારી, પરેશાન કરનારી ભયાનક અને આશ્ચર્યજનક સ્થિતિ છે કે સુચના તેમજ પ્રૌદ્યોગિકી ધારા ૬૬- એનો ઉપયોગ હજુ પણ નાગરિકો વિરૂધ્ધ આપત્તિજનક ઓનલાઇન પોસ્ટ માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે વર્ષ ૨૦૧૫માં શ્રેયા સિંઘલ મામલે આ ધારાને રદ્દ કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યકત કરી છે.

કોર્ટે કહ્યું કે હાલ સ્થિતિ ચિંતાજનક છે. આ મુદ્દે કોર્ટે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આખી વાત એમ છે કે એક બિનસરકારી સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી કે જે લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાની વાત મૂકે છે તેમના વિરુદ્ઘ પોલીસ કેસ થઈ રહ્યા છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં આ બાબતે કેસો થયા છે અને પોલીસ તેવા લોકોને જેલમાં ધકેલી રહી છે. જયારે બીજી બાજુ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે આઈ.ટી. એકટના સેકશન ૬૬ને રદ કર્યો હતો, આ નિર્ણયનો મતલબ એમ થાય છે કે કોઈ પણ વ્યકિતસોશિયલ મીડિયાપર પોતાની વાત કહી શકે છે. એટલે કે તે અપરાધ ના હોઈ શકે. વકીલ સંજય પારેખે સોમવારે સુનાવણી દરમ્યાન કહ્યું કે આવી કાયદો રદ કર્યા બાદ પણ પોલીસસોશિયલ મીડિયાપર ટિપ્પણી કરવાવાળા લોકો વિરુદ્ઘ કેસ કરે છે અને તેમેને જેલમાં પણ મોકલે છે.

આ વિશે જસ્ટિસ આરએફ નરમીન, જસ્ટિસ કેએમ જોસેફ, અને જસ્ટિસ બી આર ગવઈએ કહ્યું કે ‘અમને ખબર છે, સ્થિતિ હાલ ખરાબ અને ચોંકાવનારી છે.’ જવાબમાં જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે નવા આઈ.ટી. એકટ મુજબ તેમાં એકદમ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આ પર જસ્ટિસ નરમીને હસીને કહ્યું કે પોલીસ આવા કોઈ કાયદા વાંચતાં નહીં હોય. આ બાદ કોર્ટે સરકારને બે અઠવાડિયામાં આ સવાલનો જવાબ લેખિતમાં માંગ્યો છે અને કહ્યું છે કે અમને જણાવો કે દેશભરમાં આવી કેટલી ફરિયાદો લઈ તેના પણ કેસ કરવામાં આવ્યા છે અને તેનું સ્ટેટ્સ શું છે. ત્રણ અઠવાડિયા બાદ ફરી આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અકે કાયદાની વિદ્યાર્થી શ્રેયા સિંઘલ દ્વારા આઇટી કાયદા એકટ ૬૬ સામે અરજી કરી હતી. ત્યારબાદ ૨૪ માર્ચ ૨૦૧૪ના દિવસે તેને રદ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.