Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ચિંતન શિબિરથી ગુજરાતના વિકાસનો રોડ મેપ તૈયાર થાય છે: મુખ્યમંત્રી
Gujarat News

ચિંતન શિબિરથી ગુજરાતના વિકાસનો રોડ મેપ તૈયાર થાય છે: મુખ્યમંત્રી

By ABTAK MEDIA22/05/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

જન સેવાની એક પણ તક ન ચૂકવવા અધિકારીઓને સીએમનું આહવાન: ચિંતન શિબિરનું સમાપન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે, અંત્યોદય-છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે.

ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે  રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજું પણ આપણે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ એમ છીએ. ચિંતનશિબિર આપણને સૌને નિજદર્શન કરવાની તક આપે છે. કોઇ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે.પહેલ કરવાની વૃત્તિ વિકસાવવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શુભકાર્યની શરૂઆત તો કરવી જ પડે. સારા કાર્યોમાં શરૂઆતના તબક્કે થોડા વિઘ્નો પણ આવી શકે છે. આવા વિઘ્નોને દૂર કરવાની પણ આપણા સૌમાં ક્ષમતા રહેલી છે. નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે, તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે. પ્રજાકલ્યાણનું શ્રેષ્ઠ કર્મ કરવું હોય તો નવોન્મેષ વિચારો સાથે આગળ વધવું પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ચિંતન શિબિરના માધ્યમથી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થાય છે, એમ કહેતા મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકોના હિતમાં સારી તમામ બાબતો અને સૂચનોના આધારે કામ કરી રહી છે. આવા સૂચનો અને ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી એ અધિકારીઓને તણાવમુક્ત વાતાવરણમાં કામગીરી કરવાનું અનુરોધ કરી ફરજનિષ્ઠાથી કર્મઠ રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવથી કામ કરવા પ્રેરક સૂચન કર્યું હતું.તેમણે માનવગૌરવ ગાન અને વૈષ્ણવજન ભજનનો સાર કહેતા જણાવ્યું કે, આપણને સૌને કુદરતે સરકારમાં રહીને સેવા કરવાની તક આપી છે. ત્યારે જનસેવાની એક પણ તક ચૂકવી જોઇએ નહીં.

ALSO READ  રાજ્યમાં લેન્ડગ્રેબિંગ કમિટીઓ નિર્ણય લ્યે તે પૂર્વે જ 1200 કેસમાં હાઇકોર્ટના સ્ટે મળ્યા

મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે. તેમણે ચિંતન શિબિરનો હેતું મેં નહીં, હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન, ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે. આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે.

તેમણે કહ્યું કે, એક ટીમ બની કેવી રીતે કામ કરવું એ વિશે વડાપ્રધાનએ એક સારી બાબત કહી છે. ટીમમાં ભાષા અનેક, ભાવ એક. રાજ્ય અનેક, રાષ્ટ્ર એક. પંથ અનેક, લક્ષ્ય એક. બોલી અનેક, સ્વર એક. રંગ અનેક, તિરંગો એક. સમાજ અનેક, ભારત એક. રિવાજ અનેક, સંસ્કાર એક. યોજના અનેક, મકસદ એક. કાર્યસંકલ્પ અનેક, રાહમંઝીલ એક. પહેરાવ અનેક, પ્રતિભા એક. ચહેરા અનેક, મુસ્કાન એક એમ વિવિધતામાં એકતા સાથે કામ કરવાનું છે. મુખ્યમંત્રીએ સૌ એક થઇ, નેક થઇ ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું હતું.

ALSO READ   અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

એકતાનગર ખાતે  ચિંતન શિબિરનો  સમાપન સમારોહ યોજાયો હતો. જે સંદર્ભે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે   જણાવ્યું હતું કે, સૌ મંત્રીઓ, અધિકારીઓ સહિત જેમના શિરે ગુજરાતનું ભલું કરવાની, વંચિત, પીડિત, શોષિતોના હમદર્દ બનવાની જવાબદારી છે તે સૌ માટે સાડા છ કરોડ ગુજરાતીઓના કલ્યાણની નવી દિશા, નવી ઉર્જા મેળવવા માટેના વૈચારિક મંથનની આ ત્રણ દિવસની ’ચિંતન-મનન શિબિર’ શિબિર ફળદાયી રહી છે.

ગુજરાતના બહેતર વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આ શિબિરમાં થયેલું મનોમંથન મહત્વપૂર્ણ બનશે.  વિવિધ ચર્ચા સત્રોમાં સૌ મંત્રીઓ, સચિવો, અધિકારીઓ નહીં, સિનિયર, જુનિયરના ભેદ નહીં પણ એક સામાન્ય શિબિરાર્થી બન્યા હતા. પોતાની શક્તિઓ, ક્ષમતાઓને ઉજાગર કરી સામૂહિક ચિંતન મનન વિચાર વિમર્શ કરીને પ્રજાને સુશાસન, યોજનાકીય લાભો અને સુખાકારી અર્પવા માટે મોટીવેટ અને પ્રતિબદ્ધ બન્યા છે. જેની ઝલક હરેક ચર્ચામાં જોવા મળી છે તેનો સંતોષ વ્યકત કર્યો હતો.

તેમણે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ(એ.આઈ.)ના સકારાત્મક ઉપયોગથી વહીવટને વધુ સરળ, પીપલ સેન્ટ્રીક બનાવીશું એવી પણ ચર્ચાવિચારણા થઈ છે એમ જણાવી નવી ટેકનોલોજી અપનાવવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર અને અગ્રેસર રહી છે, ત્યારે સરકારની કામગીરીને અસરકારક બનાવવા આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ગુજરાતના પ્રશાસનિક વહીવટનો ભાગ બનશે.

ALSO READ  નર્મદાના પુરગ્રસ્ત જિલ્લાઓ માટે સ્પે.પેકેજ જાહેર કરવાની કોંગ્રેસની માંગ

Bhupendrapatel Chintanshibir CM featured Growth gujarat roadmap
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસરકારી યુનિવર્સિટીમાં એકેડેમિક કેલેન્ડર પ્રમાણે સત્ર શરૂ ન થાય તેવી પરિસ્થિતિ
Next Article સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પર કોમ્પલેક્ષમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 5ની ધરપકડ
ABTAK MEDIA
  • Website

Related Posts

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.