Abtak Media Google News

સબ ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટામાં ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. રોશનની ભાભીનો રોલ કરી રહેલી જેનિફર મિસ્ત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, જેનિફરે કહ્યું હતું કે તેણે માર્ચમાં શો માટે છેલ્લું શૂટ કર્યું હતું અને નિર્માતાઓ દ્વારા હેરાન કર્યા પછી તે છોડી ગઈ હતી. તેણીએ એમ પણ કહ્યું કે નિર્માતા અસિત કુમાર મોદી, સોહિલ રામાણી અને જતીન બજાજ સામે જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે.

અભિનેત્રીનું કહેવું છે કે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે અને તેના કારણે તેણે કંટાળીને શો છોડવાનો નિર્ણય લીધો છે. આ સિવાય તેણે પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક અહેવાલ મુજબ, જેનિફર મિસ્ત્રી બંસીવાલે પોતે પુષ્ટિ કરી છે કે તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. તેણે કહ્યું, મેં 6 માર્ચે શો માટે મારો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો.

અભિનેત્રીએ જણાવ્યું કે સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે તેની સાથે ખરાબ વર્તન કર્યું. 7મી માર્ચે મારા લગ્નની વર્ષગાંઠ અને હોળી હતી. આ ઘટના તે દિવસે બની હતી. મને સોહિલ રામાણીએ ચાર વખત સેટ છોડવાનું કહ્યું અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે મારી કારની પાછળ ઉભી રાખીને મને રોકવાનો પ્રયાસ કર્યો. તે મને સેટની બહાર જવા દેતો ન હતો. મેં તેમને કહ્યું કે મેં 15 વર્ષથી શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.