Abtak Media Google News

સોનાના દાગીના અને રૂ.૮૦ હજારની રોકડની તફડંચી કરનાર શખ્સની શોધખોળ

જેતપૂરના નવાગઢમાં આવેલા ખાટકીવાસ વિસ્તારમાં બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેમ બંધ મકાનના તાળા તોડી રૂ.૧.૪૫ લાખની માલમતાની ચોરી થયાની જેતપૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગઢમાં ખાટકીવાસ વિસ્તારમાં રહેતા નજમાબેન અલ્તાફભાઈના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી કબાટમાં રાખેલી સોનાની વીટી, સોનાનો ચેન અને રૂ.૮૦ હજારની રોકડ મળી કુલ રૂ.૧.૪૫ લાખનો મુદામાલની ચોરી કરી તસ્ક્રો ફરાર થઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ એમ.એન.રાણા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે ઘરફોડ ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.