Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

પાક સેના હવે ભૂખમરાને લઇ ખેતી કરશે!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આજે હાલારને ‘ગજવશે’ રૂપાણી અને પાટીલ!!!
Gujarat News

આજે હાલારને ‘ગજવશે’ રૂપાણી અને પાટીલ!!!

By Abtak Media13/02/20215 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રીના આગમનથી ભાજપ કાર્યકરોમાં જોશ: સાંજે ધનવંતરી મેદાન અને ચાંદી બજારમાં જાહેરસભા

જામ્યુકોની ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના દિવસે યોજાવાની હોય પ્રચારને બળ પૂરૂ પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર આવી રહ્યાં છે. સાંજે સાડા છ વાગ્યે સૌપ્રથમ ધનવંતરી ગ્રાઉન્ડમાં તેમજ સાડા સાત વાગ્યે ચાંદી બજારમાં ચોકમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ મુખ્યમંત્રીની સાથે સૌ પ્રથમ વખત જામનગર આવી રહ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને સૌ પ્રથમ વખત તેઓને સાંભળવાનો મોકો મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસારને વેગવંતો બનાવી દેવામાં આવ્યો છે. જેમાં પ્રાણ પૂરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર શહેરની મુલાકાતે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જામનગર મુલાકાત પહેલી વખતની છે.

જામનગર શહેરની ૭૮ વિધાનસભા વિસ્તાર તેમજ ૭૯ વિધાનસભાના વિસ્તારને ધ્યાનમાં રાખીને એક જ દિવસમાં એક કલાકના સમયાંતરે બે જાહેર સભા યોજવામાં આવી છે અને બન્ને વિધાનસભા વિસ્તાર પ્રમાણે સ્થાનિક કાર્યકર્તાઓ જાહેર સભાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલ કે પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વખત મુખ્યમંત્રી સાથે જામનગરની મુલાકાત લઈ રહ્યા હોવાથી તેઓનું વિશેષ સન્માન કરવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. બંને મહાનુભાવો ધન્વંતરી ગ્રાઉન્ડ તેમજ ચાંદી બજાર વિસ્તારની જાહેર સભાને સંબોધ્યા પછી રાત્રી ભોજન જામનગરમાં કર્યા પછી અમદાવાદ જવા રવાના થશે.

પંચાયતોની ચૂંટણીમાં ૩૬૪ ફોર્મ ભરાયા

જિલ્લાની ૨૪ બેઠકો માટે ૯૦ તા.પંચાયતોની ૧૧૨ બેઠકો માટે ૩૪૮ ફોર્મ ભરાયા

જામનગરમાં પંચાયતોની ચૂંટણીમાં એક જ દિવસમાં ૩૬૪ ઉમેદવારી પત્ર ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૯૦, તાલુકા પંચાયતોની ૧૧૨ બેઠક માટે ૩૪૮ ઉમેદવારી પત્રનો સમાવેશ થાય છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ૧૫ ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી થશે. ૧૬ ફેબ્રુઆરીના પરત ખેંચી શકાશે.જામનગરમાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ગુરૂવારે ભાજપે જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જયારે કોંગ્રેસે યાદી જાહેર ન કરતા ટીકીટ વાંચ્છુઓમાં સવાલ ઉઠયા હતાં. ભાજપે મહાનગરપાલિકાની જેમ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગે નો રીપીટ થીયરી અપનાવી મોટા માથાના પતા કાપી નાખી નવા ચહેરાને તક આપતા નારાજગીનો દૌર શરૂ થયો છે. પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના પાંચમા દિવસે કુલ ૩૬૪ ફોર્મ ભરાયા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૮૪ ફોર્મનો સમાવેશ થાય છે. જામનગર તાલુકા પંચાયત માટે ૬૧, કાલાવડ તાલુકા પંચાયત માટે ૩૪, લાલપુર માટે ૩૬, જામજોધપુર માટે ૫૨, ધ્રોલ માટે ૫૫ અને જોડિયા તાલુકા પંચાયત માટે ૪૪ ફોર્મ ભરાયા હતાં. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજુ વધુ ફોર્મ ભરાશે. જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રથમ ચાર દિવસ ઉમેદવારોના નામ જાહેર ન કરાતા ફકત ૭૨ ફોર્મ ભરાયા હતાં. જેમાં જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૬ અને જિલ્લાની ૬ તાલુકા પંચાયતની ૧૧૨ બેઠક માટે ૬૬ ફોર્મનો સમાવેશ થાય છે.

ALSO READ  બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની મિલકતોનો કબજો બેન્કોને સોંપતા મામલતદારો

બે પૂર્વ કોર્પોરેટર સહિત ત્રણ કોંગીજનો પાર્ટીમાંથી સસ્પેન્ડ

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અબ્દુલ સમા અને હનિફ મલેક આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવાતા જામનગર

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ત્રણેયને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉમેદવાર પસંદગીથી નારાજ કાર્યકરોને સમજાવવા મંત્રી, આગેવાનોના પ્રયાસ

ભાજપમાં ઘીના ઠામમાં ઘી પડી જશે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેર પછી કાર્યકરોમાં નારાજગીનું મોજુ હજુ હટવાનું નામ નથી લેતી. ચુંટણી પ્રચારના શ્રી ગણેશ ઉમેદવારો દ્વારા ટેકેદારોને લઇને કરી દેવાયા છે. પરંતુ મેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનો ધડા-ધડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કાર્યકરોની નારજગી હટવાનું નામ લેતી નથી. જેનાથી ભાજપના આગેવાનો પણ રાજકીય ગડમથલમાં મુકાયા છે.

ALSO READ  બોલ માળી અંબે..અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ

મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયા પહેલા શહેર ભાજપના મુખ્ય આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં નામ જાહેર થયા બાદ નારાજગી પણ બહાર આવશે તે મુદ્ે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં જે કાર્યકર નારાજ હોય તેમને મનાવી લેવાનું પણ પ્લાનીંગ કરાયું હતું. આ બેઠકમાં એક આગેવાનો તો કહ્યું હતું કે, કાર્યકરને નારાજ થવાનો હક પણ છે પણ કયાંય બીજે જશે નહી. તેની પાસે બીજો વિકલ્પ પણ કયાં છે. માને તો મનાવી લેવાશે અને તે માટે પ્રયાસો પણ આગેવાનો દ્વારા કોણ કયા કરશે તેની પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે.

જામનગર મહાનગરપાલિકાના ૬૪ ઉમેદવારોની યાદી જાહેર થયા પછી વિરોધનો વંટોળ જુદા-જુદા વોર્ડમાંથી શરૂ થયો હતો. અમુક વોર્ડમાં ઉમેદવારો સામે પણ નારાજગી આગેવાનો અને કાર્યકરોએ શહેરના પ્રમુખ ચૂંટણી ઇન્ચાર્જ તેમજ બન્ને ધારાસભ્ય અને સાંસદ પાસે નારાજગી પણ વ્યકત કરી હતી.

ALSO READ  અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મ્હાલવા ST વિભાગ 1000 એકસ્ટ્રા બસો દોડાવશે

અને રોષ વ્યકત કરતા કેટલાક કાર્યકરોએ તો મોવડી મંડળ કરતા જામનગરનું મંડળ મોટુ હોવાનો પણ આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખની નવા નિયમની જાહેરાત બાદ જામનગરમાં અમુક ઉમેદવારોના નામોની બાદબાકી કરાયા બાદ જ્ઞાતિ સમીકરણ અને રોષની લાગણી જોઇને પ્રદેશના મોવડી મંડળમાં ફેરફાર કરવા અંગે પણ રજૂઆત પહોંચી હતી.

જામનગરમાં ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર થયા પછી જે કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે. તેવા કોર્પોરેટરોનો નવો કચવાટ ઉભો થયો છે. સાથે સાથે વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સહિત શહેરના અમુક હોદેદારો પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી નારાજ છે. પૂર્વ કોર્પોરેટર હવે પક્ષના મોટા નેતા કહે તો નવા નિશાળીયા કહેતા ઉમેદવારોને જીતાડવા માટે કામ કરશે નહી તો માત્ર હાજર છે તેવુ દેખાડવા હાજરી આપશે. આગેવાનો અને કાર્યકરોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઇને નારાજગીનો દોરની આગ બુઝાવવા કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ચુંટણી ઇન્ચાર્જ અને પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા સહિતના આગેવાનોની ટીમ ડેમેજ કંટ્રોલ માટે સતત પ્રયાસો કરી હોવાનું જાણવા મળે છે. કાર્યકરો અને આગેવાનો હવે મોટા નેતાઓના ફોન આવે કે રૂબરૂ મળવા ત્યારપછી જ ચુંટણી પ્રચારમાં જોડાશું તેવી ચર્ચા પણ અંદરખાને કહી રહ્યાં હોવાનું જાણવા મળે છે. આમ જામનગરમાં અમુક વોર્ડોમાં નવા ચહેરાઓ મુકીને મતદારોને રીઝવવાના ભાજપના અખત્રા હવે ભાજપને મહાનગરપાલિકામાં સત્તાના સુકાન સોંપવા માટે કેટલા કારગત નિવડે છે. તે તો આવનારો સમય જ કહેશે.

bjp ELECTION Gujarat news jamnagar
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર ત્રણ ફૂટનું ગાબડુ
Next Article દ્વારકા જિલ્લા ભાજપમાં ભડકો: પેરાશુટ ઉમેદવારો આવતા આગેવાનો ‘આપ’માં ગયા
Abtak Media
  • Website

Related Posts

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

26/09/2023

એપ્લિકેશનમાં રૂ.1 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરનાર પાંચની ધરપકડ

25/09/2023

રાજકોટ: વાલ્મીકીવાડીમાં દંપતી પર પડોશીનો તલવાર વડે હુમલો

25/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

26/09/2023

પાક સેના હવે ભૂખમરાને લઇ ખેતી કરશે!!

26/09/2023

સવારે દહીં ખાવાના થાય છે અદ્ભુત ફાયદા

26/09/2023

આજનો શુભ દિવસ એટલે વામન દ્વાદશી

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

પાક સેના હવે ભૂખમરાને લઇ ખેતી કરશે!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.