Abtak Media Google News

રાજયમાં ગ્રીન અને સ્વચ્છ ઉર્જા, જળબચાવ યોજના અને પ્રદુષણ મુકત પરિવહનને પ્રોત્સાહન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત: પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અભિયાન ચલાવાશે

દાયકાઓથી વેપાર ઉદ્યોગોમાં અવ્વલ ગણાતી ગુજરાતી પ્રજા શારીરીક સૌષ્ઠવ પ્રત્યે બેદરકારી દાખવે છે. ઉપરાંત, બેઠાડા જીવનના કારણે અનેક રોગોનો ઝડપભેર શિકાર બને છે. વિકાસનું પર્યાય બની ગયેલા ગુજરાતી લોકો માત્ર વેપાર ઉદ્યોગોની સાથે ‘હેપીનેશ’ એટલે કે તમામ ક્ષેત્રે આનંદમય ‘સુખી -સંપન્ન’ બને તે માટે રાજયની રૂપાણી સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં આ માટે સ્વસ્થ વાતાવરણ ઉભુ કરીને ગુજરાતીઓના ‘હેપીનેશ ઈન્ડેકસ’માં વધારો કરવાનું લક્ષ્ય રાખ્યાનું જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્વસ્થ વાતાવરણ ઉભો કરીને રાજ્યના લોકોના સુખી અનુક્રમણિકામાં વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે આ ગ્રીન અને સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપીને, જળ બચાવ પ્રોજેક્ટ્સને લાગુ કરીને, પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહિત કરીને અને પ્લાસ્ટિકના ઉપયોગ સામે સતત અભિયાન ચલાવશે.

ઓર્ગેનિક ફાર્મિંગ અંગે વર્કશોપમાં સંબોધતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વ્યવસ્થિત આયોજન દ્વારા જૈવિક ખેતીનો ફેલાવો વધારવા માટે કટિબદ્ધ છે. રાજ્ય કૃષિ ક્ષેત્રમાં દ્વિ-અંક વૃદ્ધિ સાથે આગળ છે. ખેતીને ટકાઉ વિકાસ થાય તે માટે સરકાર હવે સેન્દ્રિય ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખે છે.

આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સુભાષ પાલેકર દ્વારા પ્રચારિત જૈવિક ખેતીની પદ્ધતિઓ મોટા પાયે અપનાવી જોઈએ.પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સુભાષ પાલેકરે કહ્યું, જો આપણે ખરેખર ખેડૂત આત્મહત્યાને રોકવા માંગતા હોઈએ તો આપણે શૂન્ય બજેટ સજીવ ખેતી અપનાવવી પડશે. ઓછા ખર્ચે કાર્બનિક ખેતીને પ્રોત્સાહન આપવા જન આંદોલન કરવાની જરૂર છે. રાજ્યની સંવેદનશીલ રૂપાણી સરકાર લોકોની સુખાકારી માટે એક પછી એક નિર્ણય લઇ રહી છે. લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વ્યાપક જળસંચય અભિયાન ચલાવવામાં આવ્યું છે અને લોકઉપયોગી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતીઓની સુખાકારીમાં અને સમુદ્ધિમાં વધારો થાય તે માટે રૂપાણી સરકારે કટીબદ્ધતા વ્યક્ત કરી છે. તમામ યોજનાઓને સફળતા મળતા સરકારની સંવેદનશીલતા પુરવાર થઇ રહી છે. રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે એક ખાસ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવશે. પ્રકૃતિની સાથે રહીને ગુજરાતને ડેવલોપ કરવાની નીતિ રાજ્ય સરકારે અપનાવી છે. ઓર્ગેનિક બાદ હવેર રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ તરફ જુકવાની તૈયારી દર્શાવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક કાર્યશાળામાં આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જૈવિક ખેતીથી ઉત્પન્ન થતા ઝેરી ગેસથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૮૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે જેમાં કોઇપણ પ્રકારનો ખર્ચ થતો નથી. કોઇપણ વસ્તુ બહારથી લાવી પડતી નથી અને આનેથી લોકોની સુખાકારીમાં પણ વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.