સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફળોની રાણી અને મધમીઠી કેસર કેરીના હાલમાં ઇજારા રાખનારા દ્વારા સોદા પડી રહ્યા છે, અને સરેરાશ એકાદ હજારની આસપાસ આ સોદા પાડી રહ્યા છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પાકને 70 ટકાથી વધુ નુકસાન થાય તેવું અનુમાન થઈ રહ્યું છે, ત્યારે સોરઠ પંથકમાં ઇજારા રાખનારાને કેસર કેરીના સોદા મોંઘા પડી રહ્યા છે. ગત વર્ષે કેસર કેરીનું ઉત્પાદન થોડું વધુ હતું, અને આગોતરી કેરી પણ વધુ આવી હોવાથી એપ્રિલના અંતમાં કેરીનુ 10 કિલોનું બોક્સ 600 થી 700 માં માર્કેટમાં વહેચાયું હતું . જ્યારે આ વર્ષે સોરઠમાં કેરીનો આગોતરો પાક માત્ર 15 ટકા બચ્યો છે. જેથી કેરીના રસિયાઓને મધ મીઠી કેસર કેરીની વધુ કિંમત ચૂકવવી પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે. તથા આ વખતે શરૂઆતના દિવસોમાં કેસર કેરીના 10 કિલોના બોક્ષમાં 1000 રૂપિયા આસપાસ ચૂકવવા પડશે તેવું હાલના સોદા પરથી લાગી રહ્યું છે. જો કે, હવે ધુળેટી બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે પાછોતરી કેરીનું ઉત્પાદન વધે તો કેરીના ભાવ એપ્રિલના અંતમાં ઘટે તેવું ઈજારાદારો જણાવી રહ્યા છે. પણ જો સવારે પડતી ઝાકળનું પ્રમાણ વધે તો કેરી ખરવાનું પણ પ્રમાણ વધે જેને લઈને કેરીનું ઉત્પાદન ઓછું થશે તો ભાવ ગત વર્ષ કરતાં વધુ ચૂકવવો પડે એવી શક્યતા સેવાઈ રહી છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’