Abtak Media Google News

જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં નવા બની રહેલું એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને એકનું મોત થયું છે જ્યારે હજુ બે લોકો દબાયેલા છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાલૂ છે. ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી છે. આ મકાન બે માળનું હતું. કોઇ કારણોસર ધરાશાયી થયું હતું. મકાન બની રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.