Abtak Media Google News

Table of Contents

આજની શિક્ષણ પધ્ધતિમાં ‘તારૂણ્ય શિક્ષણ’ની તાતી જરૂરિયાત છે, આજનો તરૂણ પ્રર્વતમાન અને સતત બદલાતી રહેતી જીવંત પરિસ્થિતિઓને સમજીને તેના ઉપર ચર્ચા વિચારણા કરે તેવો હોવો જોઇએ

૧૫થી ૨૪ વય ધરાવતા યુવા વર્ગમાંથી ૮૩ ટકા યુવા પુરૂષો અને ૭૮ ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારિક જીવન શિક્ષણને મહત્વનું ગણે છે

જાહેર સ્થળો પર, શિક્ષણ સંસ્થાઓમાં, ઘરની આસપાસ કે કામ કરવાના સ્થળે જાતીય સતામણી થાય છે તે હક્કિત છે. કિશોરો સાથે દુર્વ્યવહાર, ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃત્તિ થઇ રહી છે

તારૂણ્ય શિક્ષણ એ સંભવિત શિક્ષણમાં પરિવર્તન, સમાનતાના સિધ્ધાંતો અને સામાજીક ન્યાય તરફ વળેલું હોવુ જોઇએ

ભારત દેશ આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની વસ્તીનાં ૫૫%થી વધારે તરૂણ-તરૂણીઓ અને યુવાનો છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે. જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઇએ. તરૂણા વસ્થાએ જીવનનો હકારાત્મક, શકયતાઓ અને ક્ષમતાઓથી ભરેલો સમયગાળો છે.

આજના તરૂણ-તરૂણીઓ પોતાનાં શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતા પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવે. પોતાની શરીર રચના અને તેના કાર્યોથી વાકેફ થાય અને પોતાની જાતને જાણે અને સમજે તે અગત્યનું છે. તેઓ પોતાની તંદુરસ્તી કેળવે અને જાળવે જીવનમાં સતત આગળ વધવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તે સમજે જીવનની સતત ગુણવતા જાળવવા તેઓ સ્વસ્છતાનું મહત્વ સમજે અને પર્યાવરણનું જતન કરતા થાય. તેઓ વ્યસન મુકત બને અને નશીલા દવ્યોથી દૂર રહી પોતાનાં જીવનનો વિકાસ કરે. ભૃણહત્યા અટકાવી બેટીઓને બચાવો.

સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સશકિત કરણના આયુગમાં દિકરો-દિકરી એક સમાન અને બંન્ને સરખી તકો મળે અને આગળ વધે એચ.આઇ.વી. એઇડ્સ જેવા અસાધ્ય રોગો અંગે જાગૃત બને. તેઓ પોતાના આરોગ્યની જાળવણી માટે હકારાત્મક વિચારસરણી અપનાવી સમતોલ આહાર અને ધ્યાન, પાર્થના, કસરત, યોગ તેમજ પ્રાણાયામ કરી પોતાનું જીવન ધન્ય બનાવે.

6017871 031620 Shutterstock Schools Img

તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળ વધે તેઓ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગલે. રમતગમતમાં ભાગલે આમ તેમનામાં ગુણવતાલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય, તો તેમનો સંવાગી વિકાસ થાય આમ જોવા જઇએ તો તરૂણ-તરૂણીઓ “હેન્ડલ વીથ કેર જેવા છે. તેમને સાચવવા અને કેળવવાના છે એટલે જ કહેવાય છે કે ‘યૌવન એટલે વિજનો તણખો, ઝબકે તો અજવાળું નહીં તો ભડકો’

જીવન કૌશલ્યની એક સામાન્ય સંકલ્પનાની સમાજનો વિકાસ કરવો, તેનું અમલિકરણ અને તારૂણ્ય શિક્ષણના ગર્ભિત હેતુ તરીકે જીવન કૌશલ્યના વિકાસ તરીકે સમજણ આપવી. જીવન કૌશલ્યોનો વિકાસએ એવી જીવનપર્યત ચાલતી પ્રક્રિયા છે કે જે પ્રાપ્ત માહિતીના વિચારોના આધારે થતી નિર્ણય પ્રક્રિયામાં બહાર રહેલી શક્તિઓના સ્ત્રોતો શોધી કાઢી તેઓનો વિકાસ કરે અને પરિપકવતા લાવે.

તરૂણો, કિશોરો, યુવાનોને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન

આજનાં ૧૪થી ૨૪ વય જુથના તરૂણો કિશોરો અને યુવાનો માટે તેને મુંઝવતા પ્રશ્ર્નોમાં સાચો અને વૈજ્ઞાનિક આધારોવાળો જવાબ આપવાવાળું કોઇ નથી. મા બાપને પૂછી નથી શકતા એ વાત તેના મિત્રોને પણ પૂરી જાણકારી ન હોવાથી ત્યાંથી પણ પૂરી માહિતી મળતી સાથે કયારે તો ઘણી ગેરસમજણનો શિકાર પણ બને છે. શરીર વિજ્ઞાન સાથે પ્રજનન સ્વાસ્થ્ય સંબધિત શિક્ષણ પણ તરૂણો, કિશોર, યુવાઓને મળવું જોઇએ. માનસિક સ્વાસ્થ્ય જ સારૂ હશે તો જ તેના સર્ંવાગી વિકાસ થઇ શકશે. આપણા દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ યુવા વર્ગની સંખ્યા છે. તેમને સર્વપ્રકારે શાળાના શિક્ષકો આ બાબતે શ્રેષ્ઠ કાર્યકરી શકે છે. તરૂણા વસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.