Abtak Media Google News

અંધશ્રદ્ધા તંત્ર અને પ્રજાની મહેનત પર પાણીઢોળ કરી રહી છે

આમાં કોરોના ગાંડોતુર જ થાય ને!! કોરોના ક્યાંથી સંપૂર્ણપણે કાબુમાં આવે?? અંધશ્રદ્ધા તંત્ર અને પ્રજાની મહેનત પર પાણી ઢોળ કરી રહી છે. જી હા અમદાવાદના સાણંદના નવાપુરા ગામે સ્થિત બલીયાદેવ મંદિરમાં માત્ર પરંપરા અનુસરવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.

કોરોનાના મહાસંકટ વચ્ચે જાણે કોઈ ડર જ ન હોય તેમ મહિલાઓ માથે પાણીના બેડા લઈ એકત્ર થઈ હતી. પરંતુ આ ભીડ એકત્ર થવાની શું તંત્રને પણ જાણ નહીં હોય ?? બેખૌફ અને બેવકૂફ લોકો જ કોરોનાને વધુ પ્રસરવાની તક આપી રહ્યા છે. આ બનાવને પગલે 23 જેટલા સ્થાનિકોની અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.