Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વનડે સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો જટકો લાગ્યો છે. ટીમના ઓપનીંગ બેટ્સમેન Shikhar Dhawan ઓસ્ટ્રેલિયા સામે થનારી પ્રથમ ત્રણ વનડે મેચમાં રમી શકશે નહિ. ટીમ ઇન્ડિયા માટે આ મોટો જટકો છે કેમકે શિખર ધવન આ સમયે બેટિંગમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે.

આ કારણે નહિ રમે શિખર ધવન
બીસીસીઆઈએ જણાવ્યું છે કે, શિખર ધવને બોર્ડથી તેમને ત્રણ વનડે મેચમાં હોલીડે આપવા માટે જણાવ્યું હતું. શિખર ધવનની પત્ની બીમાર છે અને તે ઈચ્છે છે કે, તે પોતાની પત્નીની સાથે રહે છે. બીસીસીઆઈએ શિખર ધવનના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ ખેલાડીને પસંદ કર્યા નથી. બીસીસીઆઈએ આ સીરીઝ પહેલા ૧૬ ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. તેમની જગ્યાએ પ્રથમ ત્રણ વનડેમાં અજિંક્ય રહાણે અને લોકેશ રાહુલમાં કોઈ ઓપનર તરીકે તક મળી શકે છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની વનડે સીરીઝ ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.