Abtak Media Google News

કમિશનમાં વધારો કરવા સહિતની માંગણી

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર આજે હડતાળ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર જડબેસલાક હડતાળ કરવામાં આવી હતી.

જેમાં આત્મવિલોપન કરે તે પહેલા જ્વલનશીલ પદાર્થ પોલીસે જપ્ત કરી લીધો હતો. જેમાં સસ્તા આનાજના દુકાનદારોને જે હાલાકી પડે છે, તે દૂર કરવા માંગ કરાઈ હતી.કમિશન વધારો, સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.