Abtak Media Google News

વિરાણી બહેરા મુંગા શાળા ખાતે વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ વિકલાંગ દિન ઉજવણી અંતર્ગત પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનાં ભાગરૂપે સ્વચ્છતાનું મહત્વ અંગેની જાણકારી તથા મોટીવેશન અંગેનો એક કાર્યક્રમ જીલ્લા સમાજ સુરક્ષા ખાતાની કચેરી રાજકોટનાં અધિકારી મિલનભાઈ પંડિતનાં અધ્યક્ષપદે રાખવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાનાં મુકબધિર બાળકોએ સ્વચ્છતા અભિયાનની થીમ ઉપર સુંદર મજાની કૃતિ પ્રસ્તુત કરી હતી. શાળાનાં આચાર્ય કશ્યપભાઈ પંચોલીનાં માર્ગદર્શન હેઠળ શિક્ષકગણે બધિર બાળકોને સાંકેતિક ભાષામાં સ્વચ્છતાનું મહત્વ અને પૂ.ગાંધીજીનાં આદર્શ વિચારો વિશેની જાણકારી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.