Abtak Media Google News

આરોપી સાથે પ્રેમ સંબંધના કારણે યુવાનની બહેને અગ્નિસ્નાન કર્યુ હોય તેના ડખ્ખામાં સમાધાન કરવા લઇ જઇ ત્રણ શખ્સોએ હુમલો કર્યો

રાજકોટમાં નવયુગપરામાં રહેતો અને મંજુરી કામ કરતાં યુવાનને સોરઠીયાવાડી પાસે ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનને તેની બહેનના ઝઘડા બાબતે સમાધાન કરવા માટે બાઇકમાં ઉપાડી જઇ આજીડેમ ચોકડી પાસે લમધાર્યો હતો. જેથી તેને એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે એ ડીવીઝન પોલીસમાં ધાર્શીક નીતીનભાઇ સિંધવ (ઉ.વ.ર1) એ નોંધાવેલ ફરીયાદ મુજબ તે તેની બે બહેનો અને એક ભાઇ સાથે નવયુગપરામાં રહે છે અને મંજુરી કામ કરે છે. ગઇકાલના તે સોરઠીયા વાડી પાસે અનિલ પાનની દુકાને બેઠેલો હતો ત્યારે હિતેષ ભનુભાઇ પરમાર તેનો ભાઇ ધર્મેશ પરમાર અને એક અજાણ્યો શખ્સએ તેની પાસે આવી અને તેની બહેનની બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી તેને છરીનાં ઘા ઝીંકયા હતા અને તેને બાઇક પર તેને ઉઠાવી જઇ આજી ડેમ ચોકડી પાસે લમધાર્યો હતો.

માહીતી મુજબ આરોપી હિતેષ પરમારને ફરીયાદી ધાર્શીક સિંધવની મોટી બહેન જીજ્ઞાસા સાથે પ્રેમ સંબંધ હતા અને તેને પ્રેમલગ્ન બાબતે ઝઘડો થતા જીજ્ઞાસાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યો હતો અને તે ઝઘડાના સમાધાન માટે ત્રણેય આરોપીએ આવી અને ધાર્શીક ને છરીના ઘા ઝીંકી ધોકા પાઇપ વડે લમધાર્યો હતો. જેથી એ ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સો  વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.