Abtak Media Google News

મેયર  ડો. પ્રદિપ ડવ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરાની જાહેરાત

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા  વર્ષમાં ત્રણ દિવસ  મહિલાઓ માટે બી.આર.ટી.એસ. અને સિટી બસમાં મફતમા મુસાફરી યોજના જાહેર કરવામાં આવે છે. આગામી 11મી ઓગષ્ટના રોજ રક્ષા બંધનના પવિત્ર  દિવસે મહિલાઓ સવારથી રાત્રી સુધી બીઆરટીએસ અને સિટી બસમાં મફ્તમાં મુસાફરી કરી શકશે તેમ સતાવાર જાહેરાત  આજ કરી દેવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા  જણાવ્યું હતુ કે રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં 90 સિટી બસ તથા 18 ઇલેકટ્રીક એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.

મહાપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. આગામી   ગુરૂવારે રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.