Abtak Media Google News

અકસ્માતના કારણે એક માસથી ઘરે બેઠેલા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં ભાગોળે આવેલા સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાને પિતાના વિયોગમાં આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. જેમાં એક માસથી અકસ્માતના કારણે ઘરે બેઠેલા યુવાને પિતાના અવસાનના એક માસ બાદ જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ચકચાર મચી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા રણુજા મંદિર પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા અજય મુકેશભાઈ સોલંકી નામના ૨૪ વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકના એએસઆઇ એમ.બી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અજયના પિતા મુકેશભાઈનું એક માસ પહેલા જ મૃત્યુ થયું હતું. પિતાના નિધન બાદ અજય આઘાતમાં રહેતો હતો. જેથી પિતાના વિરહમાં બેચેન રહેતા અજયે ગળાફાંસો ખાઈ આપઘાત મરી લીધો હતો. મૃતક અજય મજૂરી કામ કરતો હોવાનું અને પોતાનું પણ અકસ્માત થયું હોવાથી ઘરે જ રહેતો હોવાનું સામે આવ્યું છે. અજયનો ભાઈ ઉપર જમવા આવ્યો ત્યારે રૂમમાંથી અજયનો પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી અંદર જોતા યુવાનનો લટકતો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પિતાના અવસાન બકડ એક માસમાં તેમના વિયોગમાં પુત્રએ પણ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.