Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ટિકિટ ન મળવાના કારણે નારાજ નેતાઓનો પક્ષ પલટો પણ શરૂ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ પણ ટિકિટ ન મળવાને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પરી ભાજપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો મળ્યો છે. ખેડા જિલ્લાના માતર વિધાનસભા ક્ષેત્રના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ફરી ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ જ માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવી હતી ત્યારબાદ તેઓ ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારે તેઓ ફરી ભાજપમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.