Abtak Media Google News

અબતક, અતુલ કોટેચા

વેરાવળ: ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન નિમિતે આજે સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

માર્કન્ડેય પૂજા, અષ્ટાદયાયી, રૂદ્રાભિષેક, આયુષ્ય મંત્ર જાપ,
રાષ્ટ્ર સુક્ત મંત્ર પઠન અને સોમનાથ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિને આજે સવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારે માર્કન્ડેય પૂજા, અષ્ટાદયાયી, રૂદ્રાભિષેક પૂજન, આયુષ્ય મંત્ર જાપ તથા રાષ્ટ્ર સુક્ત મંત્ર પઠન યોજાયા હતા. ત્યારબાદ સોમનાથ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 7100 ગામોના રામ મંદિરોમાં મહાઆરતી..!!

આ ઉપરાંત કલાપ્રતિષ્ઠાન સુરતના ખ્યાતનામ ચિત્રકારો દ્વારા વડાપ્રધાનના જન્મદિને આજે તેમના જીવનના મહત્વના ફોટોગ્રાફ આધારિત પન્સીલ સ્કેચનું પ્રદર્શન પણ યાત્રી સુવિધા કેન્દ્ર ભવન સોમનાથ ખાતે યોજાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.