વોર્ડ નં.૮માં આવેલ ગુલાબવિહાર સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ વોર્ડના કોર્પોરેટર વિજયાબેન વાછાણી અને જાગૃતિબેન ઘાડીયાના હસ્તે અને શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર, સોસાયટીના પ્રમુખ હરદીપભાઈ બારડ, અલ્કાબેન કામદારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સુત્ર જયાં માનવી ત્યાં સુવિધાને ખરા અર્થમાં સાકાર કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નં.૮માં આવેલ ગુલાબવિહાર સોસાયટીમાં પેવર કામનો શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ કાંતીલાલ ભુત, ચંદુભાઈ કાલરીયા, છગનભાઈ સખીયા, રીટાબેન સખીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી