Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

ગુજરાતમાં તલાટીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર પાસે વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં. છેવટે માંગણીઓ કે પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રી મહા મંડળ દ્વારા આજ રોજ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

આ આંદોલનમાં તલાટી કમ મંત્રી રાજ્ય મહા મંડળના આદેશ મુજબ આજથી તમામ તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ તથા ઓનલાઈનની તમામ કામગીરી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કેશોદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી પાણી પત્રક તથા ઓનલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ રાખી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા છે.

આ આંદોલનના સમર્થનમાં કેશોદમાં સમગ્ર તાલુકાના VCE, શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા, જીલ્લા પંચાયત સદસ્ય ધરમ કમાણી, પુર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા સહીતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.