Abtak Media Google News

પરિવાર સુરત ગયોને તસ્કરોએ કર્યા પરાણો

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો સુરત કામ સબબ ગયા હતા તે દરમ્યાન બંધ મકાનમાં કોઇ તસ્કરો ત્રાટકી રોકડ તથા ઘરેણા મળી પોણા બે લાખના મુદામાલની ચોરી કરી નાસી ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ છે.

શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ નેચરલપાર્કના પ્લોટ નં.૧૩માં રહેતા પરેશભાઇ ચંપકભાઇ શાહનો પરિવાર કોઇ કામ સબબ સુરત ગયો હતો તે દરમ્યાન તા.૧૪ થી ૧૭ ઓગસ્ટ દરમ્યાન તેના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી કબાટમાં રાખેલ રોકડ રૂ ૯૦ હજાર સોનાનો હાર રૂ ૮૦ હજાર મળી કુલ રૂ ૧.૭૦ લાખની મત્તા ઉઠાવી નાસી છુટયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.