Abtak Media Google News

કોવિડ ગાઈડલાઈન અને રાત્રી કરફયુનો સખ્ત અમલ કરાવતી શહેર પોલીસ: જાહેરનામા ભંગનાં 149 કેસ સોશિયલ ડિસ્ટન્સ ભંગનાં 28 કેસ, માસ્ક ન પહેરવાનાં 827 કેસ અને જાહેરમાં થૂંકવાના 21 કેસ નોંધાયા 

હાલમા કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે જેમા બાળકોને પણ સંક્રમણ થવાના બનાવો જોવામા આવેલ છે સંક્રમણ વધતા હાલમા હોસ્પીટલોમા પણ બેડો ફુલ થવાપર છે પરીસ્થીતી વીકટ ન બને તેમાટે કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે લોકોએ સ્વેચ્છીક જાગૃતી લાવવી ઘણીજ જરૂરી છે જેમકે સતત માસ્ક પહેરવુ, સેનેટાઇઝરનો ઉપયોગ, કામવગર બહાર નહી નીકળવુ, બને ત્યા સુધી જાહેર જગ્યામા જવાનુ ટાળવુ, વર્ક ફોર્મ હોમ જેવા નિયમોનુ ચુસ્તપણે પાલન કરવાથી સરકાર ની માર્ગદર્શીકાનુ પાલન કરવાથી પોતે તથા પોતાના પરિવારજનો સ્વસ્થ અને સુરક્ષીત રહી શકે છે.

હાલના કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ  પોલીસ કાર્યવાહી કરી રહેલ છે જેમા સરકાર ની માર્ગદર્શીકાનુ જાહેર જનતા ચુસ્તપણે પાલન કરે તેમજ કર્ફયુ નિયમનુ ચુસ્તપણે પાલન કરાવવા મા આવશે

તા.23/04/2021 ના રોજ  શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ – 149 કેસો, સોશ્યલડીસ્ટનસ ભંગના કુલ – 28 કેસો, જાહેરમા માસ્ક નહી પહેરના કુલ 827 લોકોને રૂ.8,27,000/- દંડ, જાહેરમા થૂંકનાર કુલ 21 લોકોને 10,500/- દંડ કરવામા આવેલ છે જેમા તા.23/4/2021 ના કલાક 20/00 થી તા.24/4/2021 ના કલાક 06/00 કર્ફયુ સમય દરમ્યાન કર્ફયુ નિયમનો ભંગ અંગેના કુલ – 115 કેસો કરવામા આવલ છે.

પોલીસ જે હંમેશ માટે  શહેરની જાહેર જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેલ છે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉપરોકત કરવામા આવેલ કેસો જોતા હાલની કોરોના વાયરસની મહામારી નો ફેલાવો વધવા પામેલ છે તેમ છતા લોકો જાહેર જીવનમા બેદરકારી દાખવતા મળી આવે છે જે ખુબજ ચીંતાજનક કહી શકાય જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા વધુમા વધુ સરકારશ્રીની માર્ગદર્શીકાનો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકોએ પોતે તથા પોતાના પરિવારજનો ને સ્વસ્થ અને સુરક્ષીત રાખવા માટે સરકાર ની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવા તથા પરિવારજનો ને પાલન કરાવવા અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.