Abtak Media Google News

10000 થી વધુ તબીબોએ એસોસીયનની રચના કરી આંદોલન પર ઉતર્યા

સરકારનું માળખુ બદલાતા ઠરાવમાં થયો ફેરફાર: સરકાર અને તબીબ વચ્ચે ફરી જંગ જામી

સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક ફીલ્ડના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન, જીએમઇઆરએસ ફેડલ્ટી એસોસીએશન, જી.આઇ.ડી. એ, જી.એમ.એસ. કલાસ-ર એસોસીએશનના 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

આજરોજ રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 1પ0 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના 1ર પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી છે. જેમાં રાજકોટ પી.ઓ.યુ. મેડીકલ કોલેજ ખાતે 180 જેટલા તબીબોએ એકઠા થઇ સુત્રોચ્ચાર કરી મેડીકલ ડીનને આવેદન પણ આપવામાં આવ્યું છે.

ગુજરાત ગર્વમેન્ટ ડોકટરનું ફોરમએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 16-5 ના રોજ રૂપાણી સરકાર દ્વારા તબીબી શિક્ષકોને 1ર મુદ્દાની માંગણી મંજુર કરતો એક અહેવાલ બહાર પાડયો હતો જેના 6 મહીના વિત્યા હોવાથી 9 માંગણીઓમાં કંઇ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.

માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે તેમને એ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેને એવું કહેવાયું છે કે ચીફ સેક્રેટરીથી વધુ પગાર મર્યાદા ન કરી શકી જેથી આ ઠરાવનો નિયમોનું પાલન કરવાનું રહેશે.

સિવીલ હોસ્પિટલના તબીબો દ્વારા હડતાલ શાંત રીતે પાડવામાં આવી છે જેથી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે નહી પરંતુ ઠરાવમાં ફેરફાર કરવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર બની શકે છે તેવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રાજકોટ રેસિડેન્ટ તબીબોની હડતાલ મોકુફ: કાળી પટ્ટી પહેરી વિરોધ યથાવત

રાજયભરની સિવીલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા નીટ પીજીને પ્રશ્ર્નને લઇ આજરોજ ઓપીડી બંધ રાખી હડતાલ પાડવામાં આવવાની હતી પરંતુ તે મોકુફ રાખવામાં આવી છે. નિર્ણય લેવાના આશ્ર્વાસન આપવામાં આવતા તબીબો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે કાળી પટ્ટી બાંધી ર00 રેસિડન્ટ તબીબોએ સોમવારે એટલે કે આજે હડતાલ પાડવાનું જણાવ્યું હતું પરંતુ રાજકોટમાં હડતાલ મોફુક રાખવામાં આવી છે અને અઠવાડીયામાં પ્રશ્ર્નો ઉકેલ લાવવાનું આશ્ર્વાસન મળતા તબીબોએ આ નિર્ણય લીધો છે. તેમ છતાં કાળી પટ્ટી બાંધી વિરોધ તબીબો દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે.

ઠરાવમાં ફેરફાર નહી થાય તો આંદોલન ઉગ્ર બની શકે: ડો. કમલ ડોડીયા

મેડીકલ ઓફીસરો અને તબીબ શીક્ષકોના એસોસીયન મળી ગુજરાત ગર્વમેન્ટ ડોકટરસ ફોરમની રચનો કરી તેના પડતર બાર પ્રશ્ર્નો માટે આજરોજ 180 તબીબો દ્વારા પીડીયુ મેડીકલ કોલેજ ખાતે હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ગર્વમેન્ટ ડોકડર્સ ફોરમ વતી ડો. કમલ ડોડીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગાઉ આ પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા પ્રશ્ર્નોને સ્વીકારી તેનું નિરાકરણ કરતો એક ઠરાવ બહાર પાડયો હતો. પરંતુ છ મહીના વીતી ગયા છતાં તેમા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને ઉપરાંત એક નવો ઠરાવ બહાર પાડી પગાર મર્યાદા પણ ઘટાડવામાં આવી છે. અને ગુજરાતમાં મંત્રી મંડળ અને સરકારમાં ફેરફારો થતા આ ઠરાવમાં ફેરફાર થયો છે. જેથી અમારા 1ર પડતા  પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે તેવું જણાવ્યું હતું અને આજરોજ પીડીયુ મેડીકલ કોલેજના ડીનને આવેદન આપવામાં આવ્યું છે.

દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ઇમરજન્સી સેવા અને ફરજ પણ અમે હાજર રહીશુ પરંતુ ઠરાવમાં વહેલી તકે ફેરફાર નહી થાય તો સંપૂર્ણ પણે હડતાલ પાડવાની ચીમકી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.