જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી ફુલ થઈ જતા જરૂરીયાત વાળા અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સારવાર નહી મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ એસ. સંઘવીએ જસદણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરીને જસદણ શહેર તેમજ પંથકની વાસ્તવિક વણસી રહેલી પરિસ્થિતિ ના ચિતારથી અવગત કરાવી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા શરૂ કરાવવા રજૂઆત કરતા જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓની ગંભીરતા સમજી કેબિનેટ મંત્રી બાવળીયાએ રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ કરવા ખાત્રી આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ