Abtak Media Google News

એક તારણ મુજબ દરેક આત્મહત્યાના 10 થી 15 પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે, પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાનો વધુ પ્રયાસ કરે છે: એક તારણ મુજબ જાણવા મળે છે કે સ્ત્રીઓ કરતાં પુરૂષો આત્મહત્યા કરવામાં વધુ સફળ થાય છે

આજની 21મી સદીમાં યુવાવર્ગમાં આપઘાતનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જોવા મળે છે: મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસના છાત્રો પણ આપઘાત કરતાં જોવા મળે છે: સુખી સંપન્ન માણસ પણ લાંબા સમયની બિમારીથી કંટાળીને આ પગલું ભરે છે

આત્મહત્યા માટે અંગ્રેજીમાં તીશભશમય શબ્દ વપરાય છે, જે મૂળ લેટીન શબ્દ છે. તીભશમશીળ પરથી આવેલ છે. આખા શબ્દમાં બે શબ્દો છે. જેનો અર્થ થાય છે ‘પોતાને મારવું’. આપઘાત પાછળ મુખ્યત્વે કારણોમાં સામાજીક અને આર્થિક પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઇ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક જીવ લેવાની ક્રિયામાં સ્વયં અકુદરતી રીતે મોતને વ્હાલું કરવું.

મોટાભાગે આપઘાતની રીતોમાં બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું, ગળે ફાંસો ખાવો વિગેરે સામાન્ય પધ્ધતિ સાથે ઊંચાઇએથી પડતું મુકવું, વાહન કે ટ્રેન નીચે છુંદાઇ જવું, બંદૂકની ગોળી ખાવી, સામુહિક મૃત્યું વિગેરે ઓછી જાણીતી પધ્ધતિ કંટાળેલ માણસ અપનાવે છે. આપઘાતએ વ્યક્તિગત અને સામાજીક ગુનો છે. ભારતમાં આઇ.પી.સી. ધારા-302 કલમ મુજબ ફોજદારી ગુનો બને છે. માનવીની મનોવ્યથા, મુંઝાઇ જવું, કોઇનો સાથ ન મળવો જેવી વિવિધ ઘટનાઓ જવાબદાર છે. હાલના સંજોગોમાં વ્યાજના વિષચક્ર કે ડર, દબાણને કારણે મજબૂર વ્યક્તિ આપઘાત કરી લે છે. સોશિયલ મિડીયાના યુગમાં વિડીયો પણ બનાવીને વાયરલ કરે છે.

1509146120 3349 As Smart Object 1

એક તારણ મુજબ દરેક આત્મહત્યાના 10 થી 15 પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયાસ વધુ કરે છે. એક અચરજ પમાડે તેવી બાબતએ છે કે સ્ત્રીઓ કરતાં પુરૂષો આત્મહત્યામાં વધુ સફળ નીવડે છે. અપરિણિત કે છૂટાછેડા લીધેલ કે એકલી રહેતી કે વિધવા વિધુર વ્યક્તિઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરણિત સ્ત્રી કરતાં વધારે જોવા મળે છે. આત્મહત્યા માટે ઘણાં પરિબળો કારણભૂત છે કોઇ એક પરિબળથી તેની વૈજ્ઞાનિક સમજૂતિ ન આપી શકાય. ઘણી સુખી સંપન્ન માણસ પણ લાંબા સમયની માંદગીથી કંટાળીને આપઘાત કરે છે.

એક વાત નક્કી છે કે આર્થિક પરિબળો સાથે તેમાં થતાં એકાએક ફેરફારોને મુખ્ય ગણાય છે. વ્યક્તિ આત્મહત્યા કરવા માટે અનેક કારણોથી પ્રેરાય છે. જેમાં જીવન કરતા સારૂ જીવન પરલોકમાં મળશે, કોઇની સામે બદલો લેવાની ભાવનાથી અને અસહ્ય જીવનથી છૂટકારો મેળવવા વ્યક્તિ આ પગલું ભરે છે. ઘણીવાર તો પોતાની અસહાય સ્થિતિ તરફ બીજાનું ધ્યાન જાય તે માટે પણ પ્રયાસો કરે છે જો કે આમાં વ્યક્તિ ઓછી ગંભીરને ઓછી જોખમી પધ્ધતિ અપનાવે છે.

આજની 21મી સદીમાં યુવાવર્ગમાં આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે. હાઇસ્કૂલ બોર્ડના છાત્રો સાથે મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસ કરતાં છાત્રો પણ આપઘાત કરતાં જોવા મળે છે. મુશ્કેલી, સાથ, સહકાર ન મળવો અને સહનશક્તિનો અભાવ આત્મહત્યાના મૂળમાં જોવા મળે છે. આજે છાત્રોને સામાજીક આર્થિક કારણો સાથે તણાવ સાથેના જીવન અને ભણતરનો ભાર મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્પર્ધાત્મક યુગમાં ઓછી સફળતા પણ તેને જીવન ટૂંકાવવાની પ્રેરણા આપે છે. બોર્ડની વાર્ષિક પરિક્ષાના રિઝલ્ટ બાદ આપઘાતની ઘટના શાળા-કોલેજના છાત્રોમાં વધુ જોવા મળે છે. આજનો છાત્ર શ્રેષ્ઠ કરવા માંગે છે પણ તેનાથી થતું નથી ત્યારે તે જીવન ટુંકાવવા પ્રેરાય છે. ઘણીવાર મા-બાપો પણ તેની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખતા હોવાથી પણ તેના ગંભીર પરિણામો સહન કરવા પડે છે. આજે આપણી આસપાસ રોજ આવી ઘટના જોવા મળે છે. સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. વડીલો વચ્ચેના જનરેશન ગેપ, નિરાશા, કંટાળો, આઘાત ઘણા કારણો જોવા મળે છે. આજે ડિપ્રેશનની ભયંકર સમસ્યા છે જેમાં માનવીના હકારાત્મક વલણો બદલાય જાય છે, નકારાત્મક વિચારો મજબૂત બનતા તે આ કૃત્ય કરવા પ્રેરાય છે. આપણાં દેશમાં દરરોજ 61 અને દર 25 મિનિટે એક આત્મહત્યા થાય છે. આ આંકડો ગૃહિણીઓના આપઘાતનો છે, તેમની ટકાવારી 14.6 ટકા છે.

ગંભીર માંદગીમાં કશી જ ઉમ્મીદ ના રહે ત્યારે તેને ‘ઇચ્છા મૃત્યુ’ની વાત આવે છે. દુનિયાના ઘણા દેશોએ તે માંગણી સ્વીકારી પણ છે. યુ.કે.માં 1981 બાદ પુરૂષોની આત્મહત્યાનો દર સૌથી નીચો આવ્યો છે. આમ છતાં 45થી નાની ઉંમરના પુરૂષોમાં આત્મહત્યાથી સૌથી વધુ મોત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ 40 ટકા જેટલા દેશોમાં પુરૂષોનું આપઘાતનું પ્રમાણ એક લાખની વસ્તીએ 15થી વધારે છે. માત્ર દોઢ ટકા દેશોમાં જ પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ આપઘાત કરે છે.

2003થી દર 10મી સપ્ટેમ્બરે ‘આપઘાત નિવારણ દિવસ’ ઉજવણી કરાય છે. જેમાં દર વર્ષે થીમ આપવામાં આવે છે. જેની છત્રછાયામાં વિશ્ર્વભરમાં જન જાગૃતિના કાર્યક્રમો યોજાય છે. એક રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં દર 40 સેક્ધડે એક અને વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. બદલાતા સમયની સાથે લોકોની માનસિકતા બદલાય છે. અકાળે મોત વ્હાલું કરવામાં સૌથી વધુ 15 થી 29 વર્ષના યુવાનો હોય છે. 75% આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશોમાં બને છે. સંશોધકોના મત મુજબ જંતુનાશક દવા, ગળાફાંસો, બંદૂક, નોકરી, ધંધો, આર્થિક ભીંસ, દારૂની ટેવ, ઘર કંકાશ જેવા વિવિધ કારણો જોવા મળે છે. દેશમાં છેલ્લા બે દશકામાં આત્મહત્યાના પ્રમાણમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે.

સમાજના દરેક વર્ગે, પરિવારે માનસિક આરોગ્યની ખોટી માન્યતાઓ તોડવા તથા તણાવગ્રસ્ત અને હતાશ લોકો સાથે સલાહ-ચર્ચા કરવા પ્રોત્સાહિત થવું જ પડશે. 2018ના આંકડામાં આપણા દેશમાં એક જ વર્ષમાં 10159 વિદ્યાર્થીઓએ જીંદગી ટુંકાવી જેનો અર્થ દરરોજ 28 છાત્રોએ મોતને મીઠું કર્યું. આત્મહત્યા કરવાના કારણોમાં પણ હવે બદલાવ જોવા મળે છે. જેમાં યુવા વર્ગ ઇ-ગેમના થ્રિલ માટે પણ આપઘાત કરે છે. યુધ્ધ અને માનવ વધ કરતાં 57 ટકા વધુ લોકો આત્મહત્યાથી મરે છે. જેમાં 15 થી 29ના સૌથી વધુ જોવા મળે છે. મોટા શહેરમાં મહિને 20 જેટલા બનાવો આપઘાતના બને છે.

સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ ઘટાડવું તે મોટો યક્ષ પ્રશ્ર્ન છે, તેમાં કોઇ વ્યક્તિને આ વિચાર આવે કે મરવાની લાગણી થાય તો આપણને કેમ ખબર પડે? એકાંત અને એકલતા ટાળવી જરૂરી છે. પ્રેમ પ્રકરણ પણ આજે આપઘાતનું મુખ્ય કારણ બની રહ્યું છે. સજોડે મોતને વ્હાલું કરે છે. મરી જવાનો વિચાર માત્ર વ્યક્તિને આવવાથી તે કેમ કરવું તેના આયોજનમાં પડી જાય છે. જો આ ગાળામાં તેને કોઇનો સાથ મળી જાય તો તેનો બચાવ થઇ શકે છે.
“લડવાની તાકાત બધા પાસે હોય છે, કોઇને ‘જીત’ પસંદ હોય છે, તો કોઇને સંબંધ”

દર વર્ષે 7 લાખ લોકો આત્મહત્યાને કારણે મૃત્યું પામે છે
દુનિયાભરમાં 15 થી 19 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું ચોથું મુખ્ય કારણ છે. દર વર્ષે 7 લાખ લોકો આપઘાત કરીને મૃત્યુ પામે છે. વૈશ્ર્વિક આત્મહત્યામાંથી 77 ટકા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા આત્મહત્યાને જાહેર આરોગ્યની પ્રાથમિકતા તરીકે ઓળખે છે. મૃત્યુ દરના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં 2030 સુધીમાં નિવારણ અને સારવાર દ્વારા રોગોથી અકાળ મૃત્યુદરમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાનો ધ્યેય રાખેલ છે.

સુસાઇડ મૂળ લેટીન શબ્દ છે, જેનો અર્થ થાય ‘પોતાને મારવું’ !!
આત્મહત્યાને અંગ્રેજીમાં સુસાઇડ કહેવામાં આવે છે અને તે મૂળ લેટીન શબ્દ છે. આખા શબ્દમાં બે શબ્દો છે જેનો અર્થ થાય ‘પોતાને મારવું’!! સામાન્ય રીતે બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું કે ગળે ફાંસો ખાવો જેવી રીત છે પણ ઊંચાઇએથી પડવું, વાહન નીચે ચગદાઇ જવું પણ આપઘાતની રીતોમાં જોવા મળે છે. બંદૂકની ગોળી કે સામુહિક મૃત્યું જેવી રીતો ઓછી જાણીતી પધ્ધતિ છે. આત્મહત્યા માટે ઘણા પરિબળો કારણભૂત છે કોઇ એક પરિબળથી તેની વૈજ્ઞાનિક સમજૂતી ન આપી શકાય. છાત્રોના આપઘાતના મુખ્ય કારણોમાં અભ્યાસમાં નિષ્ફળતા કે ભણતરનો ભાર જવાબદાર છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઓછી સફળતા પણ તેને જીવન ટુંકાવવાની પ્રેરણા આપે છે.
“જીંદગી એક સફર હે સુહાના….યર્હાં કલ ક્યા હો કિસને જાના”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.