Abtak Media Google News

કરણપાર્કમાં એસીડ પી જતા પરિણતાનું મોત

શહેરના કરણપાર્કમાં રહેતી પરિણીતાનું એસિડ પી જતા મોત નિપજ્યું હતું. આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. બે દિવસ પહેલા જ દેરાણી અને જેઠાણી વચ્ચે થયેલી બોલાચાલી બાદ આ રીતે મોત થતા પોલીસે આપઘાતની દિશામાં તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કરણ પાર્ક વિસ્તારમાં રહેતી નેહાબેન કિશનભાઇ બગથારિયા નામના 31 વર્ષીય પરિણીતાનું એસિડ પી જતા મોત ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું.

જે ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડ્યાએ ઘટનાની નોંધ કરી તપાસ હાથઘરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલા દેરાણી અને જેઠાણી વચ્ચે તુતુ….મેંમે થઈ હતી. જેના કારણે પરણિતાએ આપઘાત કર્યો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથઘરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.