Abtak Media Google News

ગુજરાતમાં હાલમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે બદલી મુજબ બધા અધિકારીઓ પોતાનો પદભાર સંભાળવા લાગ્યા છે. જયારે કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર સુજલ કુમાર મયાત્રાને સોંપવામાં આવ્યો છે. સુજલકુમારે આજ રોજ જિલ્લા કલેક્ટરનો પદભાર સાંભળ્યો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ 25 વર્ષની યુવાન વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી IAS બન્યા હતા. 2011ની બેચના આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીના રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવા કરી છે.

કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મની ડિગ્રી હાસિલ કરેલી છે. તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ (NIPER) પંજાબથી એમ.ફાર્મ કરેલ છે. સુજલકુમારે કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા કાર્ય શરૂ કરી દીધું છે. સુજલકુમાર મયાત્રાએ કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ કરવાની નીમ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.